________________
ધર્મનાં દશ લક્ષણ)
૪૪
દ્વારા સમજવા—સમજાવવામાં આવે છે.
મન–વચન—કાયના માધ્યમ દ્વારા માયાચાર અને આર્જવધર્મ થતા નથી, પ્રગટ થાય છે. સમજવા—સમજાવવા માટે પ્રગટ થવું અધિક મહત્વપૂર્ણ છે, કેમકે પ્રગટ વસ્તુને સમજવી–સમજાવવી જેટલી સહેલી છે તેટલી અપ્રગટ વસ્તુને નહીં. એકેન્દ્રિયને મન અને વચનનો અભાવ હોવાથી એને માયાકષાય અપ્રગટ રહે છે, તેથી એનામાં માયાકષાયનો સદ્ભાવ આગમ વડે જ જાણવામાં આવે છે, એને યુકિત વડે સિદ્ધ કરવાનું સંભવિત નથી. એ જ પ્રમાણે સિદ્ધોમાં આર્જવધર્મ પણ આગમસિદ્ધ જ છે; યુકિતઓ વડે સિદ્ધ કરવો કઠણ છે. જે યુકિતઓ આપવામાં આવે તે બધી છેવટે તો આગમાશ્રિત જ હોવાની.
યદ્યપિ ઉપરોકત કારણોને લીધે સમજવા-સમજાવવામાં મંન–વચન–કાયના માધ્યમનો પ્રયોગ કરવામાં આવે છે, તથાપિ સમજવા—સમજાવવાની આ પદ્ધતિને લીધે કદાચિત કોઈ એમ માની લ્યે કે માયાકષાય અને આર્જવધર્મ માટે મન-વચન-કાય આવશ્યક છે તો એનું માનવું અયથાર્થ છે.
જો કે મન–વચન—કાયની વિરૂપતા નિયમઁથી માયાચારીને જ હોય તથા જેટલા અંશે આર્જવધર્મ પ્રગટ થાય તેટલા અંશે ત્રણેયની એકરૂપતા પણ હોય જ; તેમ છતાં માયાકષાય અને આર્જવધર્મ એના સુધી જ સીમિત નથી, એથી વિશેષ પણ છે—એ અહીં બતાવવું છે.
નિષ્કર્ષરૂપે એમ કહી શકાય કે મન–વચન—કાયના માધ્યમ વડે આર્જવધર્મ અને માયાકષાયને સમજવા—સમજાવવાનું મૂળ કારણ એ છે કે મન–વચન–કાયવાળાઓને માયાકષાય અને આર્જવધર્મ ઘણુંકરીને મન–વચન-કાયના માધ્યમ વડે જ પ્રગટ થાય છે.
જો એમ છે તો આ વાત બરાબર જ છે કે ઃ
“મનમેં હોય સો વચન ઉચરિયે,
વચન હોય સો તનસો કરિયે.'
હા ! હા ! બરાબર છે, પરંતુ કોના માટે—એનો પણ વિચાર કર્યો કે નહી ? આ વાત એમના માટે છે કે જેમનું મન એટલું પવિત્ર થઈ ગયું છે કે જે વાત એમના મનમાં આવી હોય તે કદીય વાણીમાં પણ મુખરિત થઈ જાય તો ફૂલોની વર્ષા થાય અને કદાચિત્ એને કાર્યાન્વિત કરવામાં આવે