________________
૪૦
ધર્મનાં દશ લક્ષણ) તે હમેશાં ભયથી ઘેરાયેલો રહે છે. કપટ ખુલ્લું પડી જતાં પોતાની બૂરી હાલત થશે અને પોતે મહાન આપત્તિમાં આવી પડશે એવો ભય એને નિરંતર સતાવતો રહે છે. બળવાનોની સાથે કરેલો કપટ-વ્યવહાર પ્રગટ થઈ જતાં ભારે ભયાવહ નીવડે છે. આપત્તિ તો કપટ ખુલ્લું થવા પછી આવે છે, પરંતુ આપત્તિની આશંકાથી કપટી જન હંમેશા જ ભયાક્રાન્ત રહે છે. - સશક અને ભયાકાન્ત વ્યકિત કદીય નિરાકુળ હોઈ શકતી નથી. એનું ચિત્ત નિરંતર આકુળ-વ્યાકુળ અને અશાંત રહે છે. અશાંત-ચિત્ત વ્યકિત કોઈ પણ કાર્ય એના યથાર્થ સ્વરૂપમાં અને સફળતાપૂર્વક કરી શકતો નથી; તો પછી ધર્મ-સાધના અને આત્મ-આરાધના તો ખૂબ દૂરની વાતો છે.
માયાચારી વ્યકિતનો કોઈ વિશ્વાસ કરતું નથી. ત્યાં સુધી કે માતા-પિતા, ભાઈ–બહેન, પત્ની-પુત્ર ઇત્યાદિ સર્વનો એના પરથી વિશ્વાસ ઊઠી જાય છે.
આ કારણથી જ માયાકષાયનું વર્ણન કરતાં શ્રી શુભચંદ્રાચાર્યે જ્ઞાનર્ણવ' માં ઓગણીસમાં સર્ગમાં લખ્યું છે કે – :
जन्मभूमिरविद्यानाम कीर्तेर्वासमन्दिरम् । पापपङकमहागर्तोनिकृतिः कीर्तिता बुधैः ।।५८।। अर्गलेवापवर्गस्य पद्वी श्वभ्रवेश्मनः। शीलशालवने वन्हिर्मायेयमवगम्यताम् ।।१।।
બુદ્ધિમાન પુરૂષો કહે છે કે માયા એ અવિદ્યાની જન્મભૂમિ, અપયશનું ધર, પાપરૂપી કીચડની ભારે મોટી ખીણું મુકિત-દ્વારની અર્ગલા (આગળિ યો), નરકરૂપી ધરનું દ્વાર અને શીલરૂપી શાલવૃક્ષોના વનને બાળનાર અગ્નિ છે એમ જાણો.
માયાકષાયના અભાવનું નામ આર્જવધર્મ છે. .
આર્જવધર્મ અને માયાકષાયની ચર્ચા જયારે પણ ચાલે છે ત્યારે એને મન-વચન-કાયના માધ્યમ દ્વારા જ સમજવામા સમજાવવામાં આવે છે. કહેવામા આવે છે કે મન-વચન-કાયાની એકરૂપતા જ આર્જવધર્મ છે. અને એ ત્રણેની વિરૂપતા જ આર્જવધર્મની વિરોધી માયાકષાય છે. ઉપદેશ પણ એમ દેવામાં આવે છે કે જેવું મનમાં હોય તેવું જ વાણી દ્વારા કહેવું જોઈએ, તથા જેવું બોલો તેવું જ કરવું જોઈએ. આને જ આર્જવધર્મ બતાવવામાં આવે