SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમઆક્ત ક્ષમા અને માર્દવની જેમ જ આર્જવ પણ આત્માનો સ્વભાવ છે. આર્જવસ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં છળ-કપટ માયાચારના અભાવરૂપ શાન્તિસ્વરૂપ જે પર્યાય પ્રગટ થાય છે તેને પણ આર્જવ કહે છે. આત્મા સ્વયં આર્જવ-સ્વભાવી હોવા છતાં અનાદિથી જ આત્મામાં આર્જવના અભાવરૂપ માયાકષાયરૂપ પર્યાય જ પ્રગટરૂપે વિદ્યમાન છે. શ્નનોર્માવઃ ગાર્નવમ્ ઋજુતા અર્થાત્ સરળતાનું નામ આર્જવ છે. આર્જવની સાથે લાગેલો “ઉત્તમ' શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. સમ્યગ્દર્શન સહિત જે સરળતાનો ભાવ છે તે જ ઉત્તમઆર્જવ ધર્મ છે. ઉત્તમઆર્જવ એટલે કે સમ્યગ્દર્શન સહિત વીતરાગી સરળતા.. આર્જવધર્મની વિરોધી માયા કષાય છે. માયા કષાયને લીધે આત્માના સ્વભાવગત સરળતા ન રહેતાં કટિલતા ઉત્પન્ન થઈ જાય છે. માયાચારીનો વ્યવહાર સહજ અને સરળ નથી હોતો. તે વિચારે છે કાંઈ, બોલે છે કાંઈ અને કરે છે કાંઈ. એનાં મન-વચન-તનમાં એકરૂપતા નથી હોતી. તે પોતાના કાર્યની સિદ્ધિ છળ-કપટ વડે જ કરવા ઈચ્છે છે. ' માયાચારી જીવની પ્રવૃત્તિનું વર્ણન પંડિત ટોડરમલજીએ આ પ્રમાણે કર્યું છે – “જયારે આવો માયા કષાય ઊપજે છે ત્યારે છળ વડે કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થાય છે. એ અર્થે અનેક ઉપાયો વિચારે છે, અનેક પ્રકારના કપટ ભર્યા વચનો કહે છે, શરીરની કપટરૂપ અવસ્થા કરે છે, બાહ્ય–વસ્તુઓને અન્યથા બતાવે છે, તથા જેમાં પોતાનું મરણ થવું જાણે એવા પણ કપટ રચે છે. કપટ ઉઘાડ થઈ જતાં પોતાનું ખૂબ બૂરૂ થાય, મરણાદિક નીપજે એને પણ ગણકારતો નથી. વળી માયાનો ઉદય થતાં કોઈ પૂજય અને ઈષ્ટજન સાથે સંબંધ થાય તો એમની સાથે પણ કપટ કરે છે, કાંઈ વિચાર જ રહેતો નથી. કદાચિ છળ વડે કાર્યસિદ્ધિ ન થાય તો પોતે ખૂબ સંતાપવાન થાય છે, પોતાના અંગોનો ઘાત કરે છે તથા વિષ આદિ વડે મરણ પામે છે – આવી અવસ્થા માયા થતાં થાય છે.” ૧. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૫૭
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy