SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમમાર્દવ) ૩૩ અભાવ થવો સંભવિત નથી. અજ્ઞાની પણ કહેતો તો એમ જ હોય છે માન ખોટી ચીજ છે, એને છોડવું જોઈએ, તોપણ તેના અંતરમાં માનાદિ પ્રત્યે ઉપાદેયબુદ્ધિ બની રહે છે. હેય તો શાસ્ત્રોમાં લખ્યું છે માટે કહે છે. મનથી તો તે માન–સન્માન ચાહે જ છે. તેથી માન રાખવાના અનેક ઉપાયો શોધી કાઢે છે. કહે છે—માન નહીં પણ આદમીમાં સ્વાભિમાન તો હોવું જ જોઈએ. સ્વાભિમાન કોને કહે છે એની તો એને કાંઈ ખબર જ નથી; માનના જ કોઈ અંશને તે સ્વાભિમાન માની લ્યે છે. માની લ્યો કે આપે મને પ્રવચન માટે બોલાવ્યો, પરંતુ જે સ્ટેજ બનાવ્યું તથા પ્રવચન સાંભળવા માટે જેટલી જનતા એકઠી થઈ તે સ્ટેજ અને તેટલી જનતા મને મારી વિદ્વતાના પ્રમાણમાં ઓછી લાગે તથા હું કહેવા લાગ્યું કે – આવડું જ સ્ટેજ ! એના પર એક પાટ બીજી મૂકી દો. આવડા મોટા વિદ્વાનને માટે આટલું નીચું સ્ટેજ બનાવતાં શરમ ન આવી ? અને જનતા પણ આટલી જ ! આપ કહેશો કે પંડિતજી માની છે; અને હું કહીશ કે આ કાંઈ માન નથી, સ્વાભિમાન છે. વિદ્વાને માની નહીં, પરંતુ સ્વાભિમાની તો થવું જ જોઈએ. એને આબરૂ–પ્રતિષ્ઠા તો હોવાં જ જોઈએ. એ સમજતું નથી કે આમાં બેઆબરૂ કરી કોણે ? શું ઓછી જનતા અને નીચું સ્ટેજ–એનાથી કોઈની બેઆબરૂ થઈ જાય છે ? છેવટે માન અને સ્વાભિમાન બંનેને જુદાં પાડતી વિભાજન રેખા તો દોરવી જ જોઈશે – કે કયાં લગી સ્વાભિમાન કહેવાય અને કેટલેથી માન. આખરે થાય છે તો એમ જ કે લોકો એને માની કહેતા રહે છે અને માન કરનાર (પંડિત) એને સ્વાભિમાનનું નામ આપ્યા કરે છે. બીજા પણ અનેક પ્રસંગો ઉપર આ પ્રકારના દૃશ્ય જોઈ શકાય છે. સ્વાભિમાન શબ્દ સ્વ+અભિમાનથી બનેલો છે. સ્વ શબ્દ ‘પોતાનું’ એમ બતાવે છે. એમાં સ્ટેજ અને જનતા કયાથી આવે ? વસ્તુતઃ તો પોતાના આત્માની સર્વ શકિતઓને ઓળખી, એના આશ્રયે જગત સમક્ષ દીનતાનો ભાવ પ્રગટ ન થવો એ જ સ્વાભિમાન છે. સ્વાભિમાનનું સમ્યક્ સ્વરૂપ નહીં ઓળખવાથી સ્વાભિમાનના નામે અજ્ઞાની માન જ કરતો રહે છે. સન્માનના નામે જ માન લેવા દેવામાં આવે છે. કહે છે એમ કે આ સત્ માન છે. અમે તો સમજીએ છીએ કે માન તો અસત્ જ હોય છે; પરંતું
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy