________________
૨૯
ઉત્તમભાઈવ) - છીએ. માનકષાય એને માર્દવધર્મ–બને આત્માની પર્યાયો છે, તેથી એમનું માપ પોતાથી જ કરવું જોઈએ, પરથી નહી. - દૂધ લીટરથી મપાય છે અને કપડું મીટરથી. જો કોઈ એમ કહે કે બે લીટર કપડું આપો વા બે મીટર દૂધ આપો તો દુનિયા એને મૂર્ખ જ સમજશે, કેમકે એમ બોલનાર ન તો લીટરને જ સમજે છે, ન મીટર ને, અથવા તો તે દૂધ અને કપડું–બંનેથી અપરિચિત છે; નહીં તો લીટરમાં કપડું અને મીટરમાં દૂધ માગે જ કેમ?
- આત્માના માર્દવાદિ ધર્મ અને માનાદિ અધર્મને પણ પરં પદાર્થો વડે કેમ અપાય? ધનાદિ પર પદાર્થોના સંયોગમાત્રથી માનકષાય અને એમના અભાવથી માર્દવધર્મ માનનારાઓ ન તો માનકષાયને જ સમજે છે, ન માર્દવધર્મને. ભલે તે માનકષાય કરતા હોય પણ એનું સાચું સ્વરૂપ સમજતા નથી. એમ પણ સંભવિત છે કે ધનાદિનો સંયોગ હોય, પરંતુ ધનમદ ન હોય. અજ્ઞાનીને ધનાદિનો સંયોગ ન હોય તોપણ નિયમથી ધનાદિમદ હોય છે, કેમકે જયાં લગી સમ્યગ્દર્શન ન હોય, આત્માનો અનુભવ ન હોય ત્યાં લગી ધનાદિમદ હોવા અનિવાર્ય છે, ભલે બહારથી તે અભિમાન કરતા ન પણ દેખાય.
. - “માન અને દીનતા–બંનેય માર્દવંધર્મના વિરોધી ભાવો છે. તેથી બંનેય મદ (માન) નાં જ રૂપ છે. જો માર્દવના અભાવને માન અને માનના અભાવને માર્દવ કહેવામાં આવે છે તો દીનતાને પણ માન શબ્દમાં નિશ્ચિતપણે અંતર્ગભિત કરી લેવી જોઈએ—માનવી જોઈએ, અન્યથા માર્દવ-ધર્મવાળાઓને દીનતાનો અભાવ માનવો સંભાવિત નથી.
જ્ઞાનીને જ્ઞાનમદ હોતો નથી અને અજ્ઞાનીને હોય છે, એથી પણ એક વાત સ્પષ્ટ બને છે કે માન જેના સંબંધી હોય છે તેની સત્તા હોય જ એ આવશ્યક નથી. તેથી ધનમદ થાય ત્યારે ધનની ઉપસ્થિતિ હોવી આવશ્યક નથી.
ધનાદિનો વ્યવહાર તો માત્ર મનુષ્યગતિમાં જ જોવામાં આવે છે, અને માન ચારેય ગતિઓમાં જોવા મળે છે. કુળજાતિનો વ્યવહાર પણ મનુષ્ય-વ્યવહાર છે. માનને માત્ર મનુષ્ય-વ્યવહાર પૂરતો મર્યાદિત રાખીને નહીં પણ વિસ્તૃત સીમામાં સમજવો જોઈએ.
આમાં મૂળ વાત ધ્યાન દેવા યોગ્ય એ છે કે અજ્ઞાનીએ પોતાનું માપ