SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. ઉત્તમ માર્દવ) * માન માનતા જ નથી. દીનતા માનનું એક એવું જ રૂપ છે જેને લોકો માન માનવા તૈયાર નથી. દીનને માની–અભિમાની માનવામાં એમનું મન માનતું નથી. તેઓ કહે છે–દીન તો દીન છે, તે માની કેમ હોઈ શકે? જો માદ્વધર્મના અભાવનું નામ માન કષાય અને માન કષાયના અભાવનું નામ માર્દવધર્મ છે તો દીનતાને માન માનવું જ જોઈએ, કેમકે જો એને માન ન માનવામાં આવે તો માનના અભાવે દીનતા માર્દવ થઈ જશે. - કેમ? કેવી રીતે? જુઓ–માન આઠ પદાર્થોના આશ્રયે હોય છે – "ज्ञांन पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः । अष्टावाश्रित्य मानित्वं स्मयमाहुर्गतस्मयाः।।" જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર–આ આઠ વસ્તુઓના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને માનરહિત ભગવાન માન કહે છે. તાત્પર્ય એ છે કે ક્રોધ ના માન કોઈ પણ વિકાર હવામાં (શૂન્યમાં) થતો નથી, કોઈ ને કોઈના આશ્રયે થાય છે. આશ્રયનો અર્થ છે લક્ષ્ય. જયારે આપણને ક્રોધ આવે છે તો તે કોઈ ને કોઈ પર, કોઈ ને કોઈ લક્ષ્ય વડે થાય છે. એમ નથી કે ક્રોધ આવતાં પૂછવામાં આવે કે કોના પર આવે છે તો કોઈના પર નહીં, ખાલી એમ જ આવે છે–એમ બનતું નથી. ક્રોધ કોઈ ને કોઈ ઉપર જ આવે છે. એ જ પ્રમાણે માન પણ કોઈ ને કોઈ વસ્તુના આશ્રયે જ ઊપજે છે જે વસ્તુઓના આશ્રયે માન ઊપજે છે તેમને આંઠ ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. . જ્ઞાની છું એ વિકલ્પના આશ્રયે થવાવાળા માનને જ્ઞાનમદ કહે છે. એ જ પ્રમાણે કુલ, જાતિ,ધન, બળ વગેરેના આશ્રયે કુલમદ, જાતિમદ, ધનમદ, બળમદ ઈત્યાદિ થાય છે. મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે કે ધનમદ ધનવાનોને જ હોય છે, ગરીબોને નહીં, એમનું કહેવું છે કે–ગરીબોની પાસે ધન છે જ નહીં, તો એમને ધનમદ કેવી રીતે હોઈ શકે? એ જ પ્રમાણે રૂપમદ રૂપવાનોને જ હોય, કુરૂપોને નહીં. બળમદ બળવાનોને જ હોય, નિર્બળને ૧. આચાર્ય સમન્તભદ્ર : રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક ૨૫.
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy