________________
૨૦
, ધર્મનાં દશ લક્ષણ) અભ્યાસીઓ જ સમજી શકશે. આ સર્વનું તાત્પર્ય એ છે કે ઉત્તમક્ષમા આદિનું માપ બહારથી કાઢી શકાતું નથી. કષાયોની મંદતા અને તીવ્રતા પણ ઉત્તમક્ષમાનો આધાર નથી, એનો આધાર તો આ કષાયોનો ક્રમશઃ અભાવ છે. કષાયોની મંદતા–તીવ્રતાના આધારે જે ભેદો પડે છે તે તો વેશ્યા છે. - વ્યવહારથી મંદકષાયવાળાને પણ ઉત્તમક્ષમાદિનો ધારક કહેવામાં આવે છે, પરંતુ અંતદૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો એમ પણ હોઈ શકે કે – તે બહારથી બિલકુલ શાંત દેખાય, પરંતુ અંતરમાં અનન્ત ક્રોધી હોય અર્થાત અનંતાનુબંધીનો ક્રોધ હોય. નવમી ગ્રેવેયક સુધી પહોચ–વાવાળા મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી મુનિ બહારથી એટલા શાંત દેખાય છે કે એમની ચામડી ઉતારીને મીઠું ભભરાવે તોપણ એમની આંખનો ખૂણો પણ લાલ ન થાય, છતાં પણ શાસ્ત્રકારોએ એમ કહ્યું છે કે તેઓ ઉત્તમક્ષમાના ધારક નથી, અનન્તાનુબંધીના ક્રોધી છે, કેમ કે એમના અંતરમાં આત્માની અરૂચિરૂપી ક્રોધનો અભાવ થયો નથી. બહારમાં જે ક્રોધનો અભાવ દેખાઈ રહ્યો છે એનું કારણ આત્માના આશ્રયે ઉત્પન શાન્તિ નથી, પરંતુ જે ચિત્તનના આધારે તે શાંત રહેલા છે તે પરાશ્રિત જ હોય છે. જેમકે – તેઓ વિચારે છે કે હું સાધુ થયેલો છુ, તેથી મારે શાન્ત જ રહેવું જોઈએ. જો શાંત નહીં રહું તો લોકો શું કહેશે? આ ભવમાં મારી બેઈતી થશે અને પાપનો બંધ થશે તો આગામી ભવ પણ બગડી જશે. જો શાન્ત રહીશ તો હમણાં પ્રશંસા થશે અને પુણ્યબંધ થવાથી આગળ પણ સુખની પ્રાપ્તિ થશે.
આવી જ જાતના કોઈ ને કોઈ યશાદિનો લોભ અને અપયશ આદિનો ભય વા પુણ્યની રૂચિ અને પાપની અરૂચિ જ એમની શાન્તિનો આધાર બની રહે છે. અથવા શાસ્ત્રોમાં લખેલું છે કે મુનિરાજે ક્રોધ નહીં કરવો જોઈએ, શાન્ત રહેવું જોઈએ-ઇત્યાદિ કોઈ ને કોઈ બાહ્ય આધારને પકડીને જ તે શાંત રહે છે, એમની શાન્તિનો આધાર આત્મા હોતો નથી.
તથા કોઈ જ્ઞાની ચારિત્રમોહના દોષથી બહારમાં ક્રોધ કરતા પણ દેખાય, છતાં પણ ઉત્તમક્ષમાના ધારક હોય છે. જેમકે–આચાર્ય મહારાજ મુનિરાજને ઠપકો આપતા પણ દેખાય, તેમને દંડ પણ દઈ રહ્યા હોય, ઉત્તેજિત પણ દેખાઈ રહ્યા હોય, તેમ છતાં તેઓ ઉત્તમક્ષમાના ધારક છે – કેમકે એમને અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન ક્રોધનો અભાવ છે, આત્માનો આશ્રય વિદ્યમાન છે. અણુવ્રતી અથવા અવિરત-સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ તો બહારમાં એથી ય વધારે ક્રોધ કરતા