________________
ઉત્તમક્ષમા)
૧૭ વિકારની ઉત્પત્તિ જન થવી એ ઉત્તમક્ષમા છે; પરંતુ વ્યવહારથી ક્રોધાદિનું નિમિત્ત મળવા છતાં પણ ઉત્તેજિત ન થવું, એના પ્રતિકારરૂપ પ્રવૃત્તિ ન થવી-એને પણ ઉત્તમક્ષમા કહેવામાં આવે છે. દશલક્ષણ પૂજનમાં ઉત્તમક્ષમાનું વર્ણન કરતાં કવિવર ઘાનતરાયજીએ કહ્યુ છેઃ
ગાલી સુન મન ખેદ ન આનો, ગુન કો અવગુન કહે બખાનૌT કહિ હૈ બખાની વસ્તુ છીને, બાંધમાર બહુવિધિ કરે !
ઘરૌં નિકારે તન વિદાર, બૈર જો ન તહીં ધરે !”
ઉપરોકત છન્દમાં નિમિત્તાની પ્રતિકૂળતાઓમાં પણ જે શાન્ત રહી શકે, તે જ ઉત્તમક્ષમાનો ધારક છે – એમ કહેવામાં આવેલું છે. ગાળ સાંભળીને પણ જેના મનમાં ખેદ ઉત્પન્ન ન થાય તે ઉત્તમક્ષમાવાન છે. - ઘણાય લોકો એમ કહેતા સાંભળવામાં આવે છે કે – એમ તો મારો સ્વભાવ એકદમ શાંત છે, પણ જો કોઈ સતાવે તો પછી મારાથી શાંત રહેવાતું નથી. એમને મારે એટલું જ કહેવું છે કે તેઓ કોઈ વ્યકિત બતાવે કે જેની આપણે પ્રશંસા કરીએ અને તેને ક્રોધ આવે, પ્રશંસા સાંભળીને તો લોકોને માન આવે, ક્રોધ નહીં. ક્ષમાની ધારક તો તે છે કે જેને ગાળો સાંભળીને પણ ક્રોધ ન આવે.
. - અહીં તો એથીય અધિક ઊંચી વાત કરી છે. ક્રોધની ઉગ્રતા તો દૂર રહો, મનમાં ખેદ સુદ્ધાં પણ ઉત્પન્ન ન થાય તો ક્ષમા છે. કેટલાંક બાહ્ય કારણોને લીધે ક્રોધ વ્યકત ન પણ કરે, પરંતુ મનમાં ખેદ–ખિન્ન થઈ જાય તોપણ ક્ષમા કયાં રહી? જેમકે–માલિકે મુનીમને ધમકાવ્યો-દબડાવ્યો, ત્યારે નોકરી છૂટી જવાના ભયથી મુનીમમાં ક્રોધના લક્ષણો તો પ્રગટ ન થયાં, પરંતુ ખેદ–ખિન્ન થઈ ગયો તો તે ક્ષમા ન કહી શકાય. તેથી જ તો લખ્યું છે :- “ગાલી સુનિ મને ખેદ ન આનો ”
જે “ગાળ સાંભળી થપ્પડ મારે તે કાયાની વિકૃતિવાળો છે. જે “ગાળ સાંભળી ગાળ આપે” તે વચનની વિકૃતિવાળો છે “ગાળ સાંભળી ખેદ મનમાં લાવે' તે મનની વિકૃતિવાળો છે. પરંતુ “ગાળ સાંભળી મન ખેદ ન આવે” તે ક્ષમાધારી છે.
એથી પણ આગળ એમ કહે છે કે “ગુન કે ગુન કહે બખાની ' આપણામાં છે ગુણ, અને સામાવાળો અવગુણ–રૂપે વર્ણન કરે, અને તે પણ