________________
ધર્મનાં દશ લક્ષણ) અભાવ સાથે છે તો પછી એને સમ્યગ્દર્શન સાથે શું લેવાદેવા? આ શરત શા માટે કે ઉત્તમક્ષમા સમ્યગ્દષ્ટિને જ હોય છે, મિથ્યાદૃષ્ટિને નહીં? જેને ક્રોધ ન થયો એને ઉત્તમક્ષમા થઈ ગઈ, ભલે પછી તે મિથ્યાદૃષ્ટિ હો કે સમ્યગ્દષ્ટિ. મિથ્યાદૃષ્ટિને ઉત્તમક્ષમા હોઈ જ શકતી નથી–એવી અનિવાર્ય શરત શા માટે?
ભાઈ! વાત એમ છે કે ક્રોધનો અભાવ આત્માના આશ્રયે થાય છે મિથ્યાદૃષ્ટિને આત્માનો આશ્રય હોતો નથી, તેથી તેને કોધનો અભાવ થઈ શકતો નથી, તેથી મિથ્યાદૃષ્ટિને ક્રોધ ન થાય એમ કદી બનતું જ નથી. એને જે ક્રોધ ન થયો’ એમ દેખવામાં આવે છે એ તો ક્રોધનું પ્રદર્શન ન થવાની વાત છે. કારણ કે કેટલીક વાર જયારે ક્રોધ મંદ હોય છે તો ક્રોધનું પ્રદર્શન થતું જોવામાં આવતું નથી. તેને જ અજ્ઞાની ક્રોધનો અભાવ સમજી બેસે છે અને ઉત્તમક્ષમા કહેવા લાગે છે. વસ્તુતઃ તે ઉત્તમક્ષમા નહીં, પણ ઉત્તમક્ષમાનો ભ્રમ છે.
હવે પ્રશ્ન એ થાય છે કે મિથ્યાદૃષ્ટિને ક્રોધનો અભાવ કેમ થઈ શકતો નથી? એને હંમેશા અનન્ત ક્રોધ કેમ બન્યો રહે છે? એનું સમાધાન એ છે કે પરમાં કર્તુત્વબુદ્ધિ વડે જ અનન્તાનુબંધી ક્રોધ ઉત્પન્ન થાય છે. જયારે કોઈ પર પદાર્થ એની ઈચ્છાને અનુકૂળ પરિણમતો નથી એટલે તે એના પર ક્રોધિત થઈ જાય છે. એનો અર્થ એ થયો કે લોકમાં જે જે પર પદાર્થો તેની ઈચ્છાને અનુકૂળ પરિણમે નહીં તે સઘળા એના ક્રોધના ભાજન બનશે. પર પદાર્થ છે અનન્ત, તેથી અભિપ્રાયમાં અનન્ત પર પદાર્થો એના ક્રોધને પાત્ર બન્યા; આ જ અનન્તાનુબંધી ક્રોધ છે, કેમકે એણે અનન્ત પર પદાર્થો સાથે અનુબંધ કર્યો છે.
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે મિથ્યાદૃષ્ટિને પર પદાર્થોમાં કર્તુત્વબુદ્ધિ રહેતી હોય છે. આ કારણે એને ભલે ક્રોધાદિ મંદ થઈ જાય, પરંતુ જયારે એને અનન્તાનુબંધી કષાયનો પણ અભાવ ન થયો હોય તો ઉત્તમલમાદિ ધર્મ કેવી રીતે પ્રગટ થઈ શકે?
બીજી વાત એ પણ છે કે ઉત્તમલમાદિ દશધર્મ સભ્યચારિત્રનું જ રૂપ છે અને સમ્યફચારિત્ર સમ્યગ્દર્શન વિના હોતું નથી, તેથી એ આપોઆપ સિદ્ધ છે કે મિથ્યાદૃષ્ટિને ઉત્તમક્ષમાદિ ધર્મ પ્રગટ થઈ શકતા નથી.
નિશ્ચયથી તો ક્ષમાસ્વભાવી આત્માના આશ્રયે. પર્યાયમાં ક્રોધરૂપ