________________
૧૫
ઉત્તમણમા) . તાત્કાલિક જે જેમ સંભવિત હોય તેમ કરી નાખે છે. યોજનાબદ્ધ વિનાશ સામાન્ય વિનાશ કરતાં અત્યંત વધારે ખતરનાક અને ભયંકર હોય છે.
જેટલાં તીવ્રતા અને આવેગ ક્રોધમાં જોવામાં આવે છે, અલબત્ત એટલાં વેરમાં નથી જણાતાં, તોપણ ક્રોધનો કાળ ખૂબ અલ્પ હોય છે, જયારે વેર પેઢી–દર પેઢી ચાલુ રહે છે.
ક્રોધનાં બીજાં પણ અનેક રૂપો હોય, ખીજ, ચીઢ, ક્ષોભ ઈત્યાદિ પણ કોધિનાં જ રૂપ છે. જયારે આપણને કોઈની કોઈ વાત કે કામ પસંદ આવતાં નથી અને એ વાત વારંવાર આપણી સામે આવે છે તો આપણે ખીજાઈ પડીએ છીએ. વારંવાર થતો ખિજવાટ ચીઢમાં ફેરવાઈ જાય છે. ખિજવાટ અને ચીઢ એ અસફળ ક્રોધનાં પરિણામ છે. એ એક પ્રકારે ક્રોધના હળવા રૂપ છે. ક્ષોભ પણ ક્રોધનું જ અવ્યકત રૂપ છે.
આ સઘળાયવિકારો ક્રોધનાં જ નાનાં-મોટાં રૂપ છે. બધા જ માનસિક શાન્તિનો ભંગ કરવાવાળા છે. મહાનતાના માર્ગ (મોક્ષમાર્ગ) ના અવરોધો છે. એમની સત્તા રહે ત્યાં લગી કોઈ પણ વ્યકિત મહાન બની શકે નહીં, પૂર્ણતા પામી શકે નહીં, જો આપણે મહાન બનવું હોય, પૂર્ણતા પ્રાપ્ત કરવી હોય તો એમના પર વિર્જય મેળવવો જ પડશે, એમને જીતવા જ પડશે. પરંતુ કેવી રીતે? આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી અનુસાર –
"અજ્ઞાનને કારણે જયાં લગી આપણને, પર પદાર્થો ઈષ્ટ–અનિષ્ટ ભાસતા રહે ત્યાં લગી ક્રોધાદિની ઉત્પત્તિ થતી જ રહેશે, પરંતુ જયારે તત્વ-અભ્યાસનાં બળ વડે પર પદાર્થોમાંથી ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ દૂર થશે ત્યારે સ્વભાવથી જ ક્રોધાદિની ઉત્પત્તિ થશે નહી."
મતલબ એ છે કે પોતાને થતાં સુખ–દ:ખના કારણો અન્યને માનવાં એ જ ક્રોધાદિની ઉત્પત્તિનું મૂળ કારણ છે. જયારે આપણે આપણાં સુખ-દુઃખનાં કારણ આપણા પોતાનામાં શોધીશું, એના માટે આપણને પોતાને જવાબદાર સ્વીકારીશું, તો પછી આપણે ક્રોધ કોના પર કરીશું?
આપણા ભલા–બૂરાનો અને સુખ-દુઃખનો કર્તા બીજાને માનવો એ જ ક્રોધાદિની ઉત્પત્તિનું મૂળ કારણ છે. - ક્ષમાની સાથે જોડેલો ઉત્તમ શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનું સૂચક છે. સમ્યગ્દર્શનની સાથે થવાવાળી ક્ષમાજ ઉત્તમક્ષમા છે.
અહીં એક પ્રશન સંભવિત છે કે – જયારે ક્ષમાનો સંબંધ ક્રોધના