________________
૧૪
ધર્મનાં દશ લક્ષણ) અધિક શું કહીએ? જગતમાં જે કાંઈ અનિષ્ટ નજરે પડે છે તે સર્વ ક્રોધાદિ વિકારોનું જ પરિણામ છે.
કહ્યું પણ છે – "क्रोधोदयाद् भवति कस्य न कार्यहानिः"।
ક્રિોધનો ઉદય થતાં કોની કાર્ય–હાનિ નથી થતી? મતલબ કે સૌની હાનિ થાય છે. - હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય રામચન્દ્ર શુકલે પોતાના "ક્રોધ” નામના નિબંધમાં એનું સુંદર વિશ્લેષણ કર્યું છે. '
કોઇ એક શાન્તિનો ભંગ કરનાર મનોવિકાર છે. તે ક્રોધ કરવાવાળા ની માનસિક શાન્તિનો તો ભંગ કરી જ દે છે, ઉપરાંત વાતાવરણને પણ કલુષિત અને અશાન્ત કરી દે છે. જેના પ્રત્યે ક્રોધ પ્રદર્શિત થાય છે તે તરત જ અપમાનનો અનુભવ કરે છે અને તેથી દુઃખી-ખિન્ન થઈ તે પણ ભવાં ચઢાવી દે છે. એવો વિચાર કરવાવાળા બહુ જ ઓછા નીકળે છે કે અમારા પર જે ગુસ્સો પ્રગટ કરવામાં આવે છે તે ઉચિત છે કે અનુચિત? - ક્રોધનું એક ભયંકર રૂપ છે વેર. વેર એ ક્રોધ કરતાં પણ વિશેષ ભયાવહ મનોવિકાર છે. વસ્તુતઃ તે ક્રોધનું જ એક વિકૃત રૂપ છે. વેરા ક્રોધનો આચાર વા મુરબ્બો છે. ક્રોધના આવેશમાં આપણે તરત જ બદલો લેવાનું વિચારીએ છીએ વિચારીએ છીએ શું? તરત જ બદલો લેવા લાગી જઈએ છીએ. જેને શત્રુ સમજીએ છીએ તેને ક્રોધના આવેશમાં ગમે તેમ સારૂ-ખોટું કહેવા લાગીએ છીએ. મારવા લાગીએ છીએ. પરંતુ જયારે આપણે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા વ્યકત ન કરતાં મનમાં જ એના પ્રત્યે જન્મેલા ક્રોધને એવા વિચારથી દબાવી દઈએ કે- હમણાં દાવ બરાબર નથી, તત્કાલ પ્રત્યાક્રમણ કરવાથી પોતાને નુકશાન થવા સંભવ છે, શત્રુ મહા બળવાન છે, દાવ આવ્યથી બદલો લઈશું ત્યારે તે ક્રોધ વેરનું રૂપ ધારણ કરે છે અને વર્ષો સુધી દબાઈ (સુષુપ્ત) રહે છે તથા સમય આવ્યે પ્રગટ થઈ જાય છે.
ઉપર ઉપરથી જોતાં ક્રોધની અપેક્ષાએ આ (વેર) વિવેકનો ઓછો વિરોધી હોય એમ જણાય છે, પણ આ ક્રોધથી પણ વધારે ભયાનક છે, કેમકે એ યોજનાબદ્ધ વિનાશ વેરે છે, જયારે ક્રોધ વિનાશની યોજના ઘડતો નથી,
૧.
આત્માનુશાસન, છન્દ ૨૧૯.