________________
૧૨.
ધર્મનાં દશ લક્ષણ) સમજાવવું છે તો પહેલાં ક્રોધના સ્વરૂપને જ સારી પેઠે સ્પષ્ટ કરવું સમુચિત ગણાશે.
આ આત્મા જ્ઞાન નો ઘનપિંડ અને આનંદ-કંદ છે, સ્વભાવથી સ્વયં પરિપૂર્ણ છે; તથાપિ જયારથી (અનાદિથી) તે છે ત્યારથી જ તે કેટલીક વિકૃતિઓ અને નબળાઈઓથી સંયુકત છે. તે નબળાઈઓને શાસ્ત્રકારોએ વિભાવ કહો, કષાય કહ્યો, અને કોણ જાણે કેટ-કેટલાંય નામ આપ્યાં, એ બધાના ત્યાગને ઉપદેશ પણ ઓછો નથી આપ્યો; સાચું સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય પણ એમના ત્યાગને જ બતાવ્યો.
મહાપુરૂષોના અનેક ઉપદેશો અને આદેશો પ્રાપ્ત હોવા છતાં પણ સંસારી જીવ આનાથી બચવા પામેલ નથી. આ નબળાઈઓને કારણે પ્રાણીઓએ અનેક દુઃખો સહન કર્યા છે, સહન કરે છે અને સહન કરશે. એ બધાથી બચવા માટે પણ કાંઈ થોડા ઉપાયો નથી કર્યા, પરંતુ પરિસ્થિતિ એની એ જ રહી છે.
જે વિકારોને કારણે, જે નબળાઈઓને કારણે, જે કષાયોને કારણે પ્રાણી સફળતાના દ્વાર સુધી પહોંચીને પણ અનેકવાર અસફળ રહ્યો, સુખ–શાન્તિના શિખર પર પહોંચવા માટે ઉદ્યમવંત રહેવા છતાં પણ પહોંચી શક્યો નહી; તેવિકારોમાં, તે નબળાઈઓમાં, તે કષાયોમાં સૌથી મોટો વિકાર, સૌથી મોટી નબળાઈ અને સૌથી મોટો કષાય ક્રોધ છે. '
ક્રોધ આત્માની એક એવી વિકૃતિ છે, એક એવી નબળાઈ છે કે જેના કારણે તેનો વિવેક સમાપ્ત થઈ જાય છે, ભલા–બૂરાની કોઈ સમજણ રહેતી નથી. જેના પર ક્રોધ આવે છે, ક્રોધી પુરૂષ તેને સારું-ખોટું કહેવા લાગે છે, ગાળો દેવા લાગે છે, મારવા લાગે છે, ત્યાં સુધી કે પોતાનો જાન જોખમમાં મૂકીને પણ તેનું બૂરૂ કરવા ઈચ્છે છે. કદાચિત્ કોઈ પણ હિતૈષી પૂજય પુરૂષ પણ વચ્ચે આવી જાય તો તેને પણ સારૂ–ખોટું કહેવા લાગે છે, મારવા સુદ્ધાં તૈયાર થઈ જાય છે. આમ કરવા છતાંય જો તેનું બૂરું ન થાય તો પોતે ખૂબ ખેદખિન્ન-દુઃખી થાય છે, પોતાના જ અંગોનો ઘાત કરવા લાગે છે, માથું કૂટવા લાગે છે, ત્યાં સુધી કે વિષાદિનું ભક્ષણ કરી મોત સુદ્ધાં નિપજાવે છે.
લોકમાં જેટલી પણ હત્યા અને આત્મહત્યા થાય છે તે બધામાં થી મોટા ભાગની ક્રોધાવેશમાં જ થતી હોય છે. ક્રોધ સમાન આત્માનો બીજો કોઈ શત્રુ નથી.