________________
૧૬૬
ધર્મનાં દશ લક્ષણ) હૃદયમાં. અને એનો ત્યાગ કરવાવાળાને જ યોગીશ્વર કહેલો છે, ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ. માત્ર શબ્દોને જ ન વળગી રહેતાં, શબ્દોની અદલા-બદલીનો નિરર્થક અને અનર્થક પ્રયાસ છોડીને, એમાં સમાયેલા ભાવોને હૃદયંગમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જો આપણે શબ્દોની હેરફેરના ચક્કર માં પડીશું તો કયાં-કયાં બદલીશુ? શું શું બદલીશુ? આપણને અધિકાર પણ શું છે બીજાઓની કૃતિમાં અદલાબદલી કરવાનો?
આ પંકિતઓમાં કવિનો પરમ પવિત્ર ઉદ્દેશ્ય અબ્રહ્મથી દૂર કરીને બ્રહ્મમાં લીન થવાની પ્રેરણા આપવાનો છે. આપણે પણ એમના ભાવને પવિત્ર હૃદયથી ગ્રહણ કરવો જોઈએ.
. - બ્રહ્મચર્ય અર્થાત્ આત્મરમણતા સાક્ષાત્ ધર્મ છે, સર્વોત્કૃષ્ટ ધર્મ છે. બધા આત્માઓ બ્રહ્મના શુદ્ધ સ્વરૂપને જાણીને, ઓળખીને, એમાં જામી. જાય, રમે અને અનંતકાળ સુધી તરૂપ પરિણમિત રહીને અનંત સુખી બને–એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું..