________________
૧૪૯
ઉત્તમ આકિંચન્ય)
વસ્તુતઃ વાત તો એમ છે કે પાપના ઉદયથી કોઈ પાપ અને પુણ્યના ઉદયથી કોઈ પુણ્યાત્મા બની જતો નથી. પરંતુ પાપભાવ કરે તે પાપી, પુણ્યભાવ કરે તે પુણ્યાત્મા, અને ધર્મભાવ કરે તે ધર્માત્મા બને છે. અન્યથા પૂર્ણ ધર્માત્મા ભાવલિંગી મુનિરાજોને પણ પાપી માનવાનો પ્રસંગ બનશે, કેમકે એમને પણ પાપનો ઉદય આવી જાય છે, એનાથી એમને અનેક ઉપસર્ગ અને કોઢાદિ વ્યાધિઓ પણ થઈ જાય છે, પરંતુ તેઓ પાપી થતા નથી, ધર્મભાવના સ્વામી હોવાથી ધર્માત્મા જ રહે છે. આ જ પ્રમાણે કોઈ વેશ્યા કે લુંટારા પાસે ઘણું ધનાદિ થઈ જાય તો તે પુણ્યાત્મા બની જતાં નથી, પાપી જ રહે છે.
જગત કાંઈ પણ કહે, પરંતુ સર્વ પાપોનું મૂળ હોવાથી પરિગ્રહ સૌથી મોટું પાપ છે, અને સર્વ કષાયો અને મિથ્યાત્વના અભાવરૂપ હોવાથી આર્કિંચન્ય સૌથી મોટો ધર્મ છે. - આ ઉત્તમ આકિંચ ધર્મને ધારણ કરીને સર્વ પ્રાણીઓ સુખ પ્રાપ્ત કરે એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું.