SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવિક દશલક્ષણ મહાપર્વ એક મહા- મંગલકારી પર્વ છે. આત્મ-આરાધના અને આત્મ-ભક્તિનું આ મહાપર્વ વ્યક્તિ અને સમાજનો જીવનમાં સંયમ અને શાન્તિની પ્રેરણા દેનાર મહા-પ્રેરણા-સ્રોત છે. આ પવિત્ર અવસરથી પ્રેરંણા પામી જે જીવો ધર્મ-સાધનામાં રત બને છે તેમની કર્મકાલિમા ધોવાઈ જાય છે, તેમનું જીવન પરમ ઉદાત્ત અને ઉજજવલ બને છે, તેઓ વીતરાગ-વિજ્ઞાન કે જે પરમ સુખની પ્રાપ્તિનું એકમાત્ર અમોઘ સાધન છે તે પ્રાપ્ત કરી મોક્ષ માર્ગમાં અગ્રેસર બને છે. ભારતભરમાં જૈન સમાજ આ મહાપર્વ અત્યંત હર્ષોલ્લાસ સહિત ગ્રેજ્યુ છે. ભાદરવા સુ. ૫ થી સુ. ૧૪ સુધીના દશ દિવસો દરમ્યાન પોતાનાં તમામ સાંસારિક કાર્યો અને અગ્રિમતાને ગૌણ કરી વિવિધ આયોજનો અને કાર્યક્રમો – જેવા કે જિનેન્દ્રભક્તિ, જિનેન્દ્ર-પૂજન, સ્વાધ્યાય, પ્રવચનો ઇત્યાદિ યોજી સમાજના સઘળા અંગો આ મંગલકારી પર્વમાંથી ધર્મભાવનાની-ધર્મસાધનાની પ્રેરણા મેળવે છે. આ મનોહર કૃતિ ‘ધર્મના દશ લક્ષણો' એ ધર્મસાધનાના એક ભાગરૂપે પ્રસિદ્ધ દાર્શનિક વિદ્વાન ડૉ. હુકમચંદજી ભારિલ્લના મનોગત ઉંડા અધ્યાત્મચિંતનનો પરિપાક છે. એ તો સુવિદિત છે કે ભારિલ્લજી તત્વચિંતક તો છેજ, તદુપરાંત ઉત્તમ લેખક અને પ્રબુદ્ધ પ્રભાવશીલ વક્તા પણ છે. તેમના જીવન પર અધ્યાત્મશિરોણણિ પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી ઊંડી છાપ છે. તત્ત્વપ્રચારમાં નિરંતર ઉદ્યમશીલ શ્રી ભારિલ્લજીનાં દશલક્ષણ મહાપર્વના અવસરે સ્થાન-સ્થાન પર જે દશધર્મો સંબંધી તાત્વિક વ્યાખ્યાનો થયાં તે કેટલોક સમય વીત્યે (હિંદી) આત્મધર્મમાં સંપાદકીય સ્વરૂપે લેખનિબદ્ધ
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy