________________
૧૧૫
ઉત્તમ ત્યાગ) .
આચાર્ય પૂજયપાદે સર્વાર્થસિદ્ધિમાં લખ્યું છે – परानुग्रहबुड्या स्वस्यातिसर्जनं दानम्'।
બીજાનો ઉપકાર કરવાની બુદ્ધિથી પોતાની વસ્તુ અર્પણ કરી દેવી એ દાન છે.
દાનમાં પરોપકારનો ભાવ મુખ્ય રહે છે, અને પોતાના ઉપકારનો ગૌણ; પરંતુ ત્યાગમાં સ્વ-ઉપકાર જ સર્વસ્વ છે, બીજાઓના ઉપકાર માટે મોહ–રાગ-દ્વેષ તજવામાં આવતા નથી. એ વાત જુદી છે કે પોતાના ત્યાગથી પ્રેરણા પામીને કે અન્ય કોઈ પ્રકારે પરનો પણ ઉપકાર થઈ જાય.
જો કોઈ દાન આપે તો એ એનું કર્તવ્ય થઈ પડે છે કે જે કામ માટે દાન આપ્યું છે તેની દેખરેખ પણ રાખે. કયાંય એવું તો નથી બનતું ને કે આપે ધર્મશાળા તો યાત્રીઓને રહેવા-ઊતરવા માટે બનાવી હોય અને એને ભાડે આપી દેવામાં આવી હોય; આપે પૈસા તો પ્રાચીન જિનાલયોના જીર્ણોદ્ધાર માટે આપ્યા ઓય અને તે પૈસા થી અધિકારીઓ એ પોતાના આરામ માટે એરકન્ડીશન કરાવી દીધું હોય; આપે પૈસા તો વીતરાગતાના પ્રચાર-પ્રસાર માટે આપ્યા હોય અને તે વડે રાગને ધર્મ બતાવી પ્રચાર કરવામાં આવતો હોય; આપે પૈસા તો ધાર્મિક–નૈતિક શિક્ષણ માટે આપ્યા હોય અને તેનો ઉપર્યાગ કાયદાના શિક્ષણ માટે કરવામાં આવતો હોય.
કેટલાક લોકો કહે છે કે આપે તો દાન દઈ દીધું. હવે આપને શું પ્રયોજન કે એનું શું થઈ રહ્યું છે? એનો કયાં ખર્ચ થઈ રહ્યો છે અને એને કોણ હડપ કરી જાય છે? જયારે આપે એનો ત્યાગ જ કરી દીધો છે તો પછી એનાથી શું મતલબ? .
એવી વાતો એ જ લોકો કરે છે કે જેઓ યા તો દાનની પરિભાષા જાણતા નથી કે પછી કાંઈક ગડબડ કરવા ઇરછે છે, કરતા હોય છે. કેમકે તેઓ ઇરછે છે કે તેઓ ગમે તેમ કરે, તેમને કોઈ રોકટોક પૂછ–ગાજી ન કરે. જેમને સાચું જ કામ કરવું છે, પૈસા જે ઉદ્દેશ્યથી મળ્યા હોય એમાં જ વાપરવા છે, એમને એમાં શું વાંધો હોય શકે કે દાતાર એમને કેમ પૂછે છે કે જે ઉદ્દેશ્યથી, જે કામ માટે એણે દાન આપ્યું હતું તે થઈ રહ્યું છે કે નહીં, તે ઉદ્દેશ્યની પૂર્તિ થઈ રહી છે કે નહી?
૧. અધ્યાય, ૬, સૂત્ર ૧૨ ની ટીકા.