________________
યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ. જ નહિ પણ જનાવરોની જેમ તેઓને જન્મ આ દુનિયા ઉપર નિરર્થક જ છે. વિશેષમાં આચાર્યશ્રી કહે છે કે તેવા મનુષ્યોને જન્મ આ દુનિયા ઉપર મનુષ્યરૂપે ન જ થવું જોઈએ. આ કહેવું યથાર્થ છે. કેમકે વિચાર અને તેને યોગ્ય વર્તન કરવાનું સામર્થ્ય મનુષ્યમાં જ છે. જ્યારે તેવું સામર્થ્ય પામીને તે સામર્થ્યને દુરૂપયેગ કરવામાં આવે અને માનવનિથી નીચા ઉતરી તિર્યંચ અને નરકાદિ ભવમાં ભટકવું પડે તે તેના કરતાં તેઓને તિર્યચપણું વધારે સારું છે, કે વિચારપૂર્વક જેમાં આત્મશક્તિને દુરૂપયોગ કરવાપણું નથી. આવા કઠોર શબ્દો કહીને પણ માનવોને જાગૃત કરવાનું આચાર્ય. શ્રીનું કથન એ આ દુનિયાના પામર જીવે ઉપર આંતરિક કરૂણારસને સૂચવી આપે છે અને ઘેર નિદ્રામાં પડેલા દુનિયાના જીવોને જાગૃત કરવાને એક મહાન વાજીંત્ર તુલ્ય છે. ૧૪
મોક્ષનું કારણ વેગ चतुर्वर्गऽग्रणीर्मोक्षो,-योगस्तस्य च कारणम् ।
ज्ञानश्रद्धानचारित्र रूपं रत्नत्रयं च सः ॥१५॥ ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચારે વર્ગોમાં મોક્ષ તે જ ઉત્તમ છે. એ મેક્ષનું કારણ યંગ છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર રૂપ ત્રણ રને તે વેગ કહેવાય છે. ૧૫.
વિવેચન–આ દુનિયાના જીવોને સાધ્ય કરવા તરીકે ગણાતાં અર્થ, કામ, ધર્મ અને મોક્ષ આ મેટા ચાર વિભાગે યા કાર્યો છે. તે ચારમાં બીજા સર્વ વિશેષ કાર્યોને સમાવેશ થઈ શકે છે. તેમાં અર્થ-પૈસે મેળવવામાં અને તેનું રક્ષણ કરવામાં ઘણે ફલેશ છે. રાગદ્વેષાદિની ઉત્પત્તિનું કારણ છે અને કર્મબંધન કરાવી દુર્ગતિમાં પાડવાનું એક મહાન નિમિત્ત છે. કામ એટલે પાંચ ઇન્દ્રિયેના સુખે ભેગવવાં, તે સુખે ક્ષણિક અને તુચ્છ છે, આપાત (દેખાવમાત્ર) રમણીય છે. તથાપિ વિપાક મહાન દુખ દે છે. તૃપ્તિ તે થતી નથી