________________
મહાત્મા ચિલાતીપુત્ર વિચાર કરતાં તેને વિશેષ જણાઈ આવ્યું કે ઇન્દ્રિયની અને મનની બે પ્રકારની ગતિ મારા અનુભવવામાં આવે છે. એક તે શુભ પ્રવૃત્તિ એટલે કેઈને દુઃખ ન થાય તેવી રીતે ઈદ્રિય અને મનની પ્રવૃત્તિ અને બીજી અશુભ કે જેથી બીજાને દુઃખ ન થાય તેવી પ્રવૃત્તિ. ત્યારે જીવને દુઃખ ન થાય તેવી રીતે મારા ઇદ્રિય અને મનને પ્રવર્તાવવાં એ જ સંવર તે મહાત્માએ મને ઉપદે જણાય છે. હવે તેની પ્રવૃત્તિ અત્યારે મારી છે કે નહિ તે માટે વિચારવાનું છે. અરે આ જીવને સંહાર કરનાર તલવાર મારા એક હાથમાં રહી ગઈ છે અને બીજા હાથમાં સુસમાનું માથું છે. આવી પ્રવૃત્તિવાળા મારામાં સંવર કેવી રીતે ગણાય જ માટે હું તેને ત્યાગ કરૂં અને મન તથા ઇઢિયેની અશુભ પ્રવૃત્તિને રોકું. આવા વિચારથી તેણે હાથમાંથી તલવાર અને માથું દૂર ફેંકી દીધાં. ત્યાર બાદ ત્રીજા પદના વિચારમાં તેણે પ્રવેશ કર્યો.
તેટલામાં તે લેહીથી ખરડાયેલા તેના આખા શરીર ઉપર ચારે તરફથી કીડીઓ ચડવા લાગી. કીડીઓને જનગંધી કહી છે; અર્થાત્ ઘણા ઈદ્રિયના પ્રબળ વિષયવાળી કીડીઓ દૂરથી પણ ગંધના જોરથી ખેંચાઈ આવે છે. અત્યાર સુધી રૂધિર ઝરતું સુસમાનું માથું તેના હાથમાં હતું, તેના છાંટાઓથી શરીરને ઘણે ભાગ ભીંજાયેલું હતું, તેથી કીડીઓ તેના શરીર ઉપર ચડી ચટકા દેવા લાગી. આ બાજુ ચિલાતીપુત્ર વિચારની ધારામાં આગળ વધી વિવેકનું સ્વરૂપ વિચારે છે. વિવેક એટલે શું ? વિવેક એટલે પિતાનું અને પારકું તેની વિશેષતા સમજવી. ત્યારે મારું શું છે અને પારકું શું છે? તે તે મારે અવશ્ય જાણવું જ જોઈએ. અત્યારે મારું તે કઈ દેખાતું નથી કેમકે આ નિર્જન જંગલમાં હું તો એકલો છું, પણ ત્યારે હું તે કેણ ? આ હાથ કે પગ, માથું કે પેટ, આ શરીરમાં હું કેણ? હાથ ન હોય તે ચાલી શકે છે. પગ ન હોય તે પણ શરીર ટકી રહે છે. ત્યારે તે તે હું નહિ. આ આહારાદિ બરાકથી શરીરની વૃદ્ધિ અને તેના અભાવથી હાનિ થયા કરે છે. તે આહારથી જ વૃદ્ધિ હાનિ પામતું