SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ મહાત્મા ચિલાતીપુત્ર. તાને દબાવુ'. આ દેહ ઉપર તા એવુ' કાંઈ દેખાતું નથી. તેમ મારી પાસે પણ અત્યારે તેવુ' કાંઈ નથી, આ જંગલમાં હું તે અત્યારે એકલા જ છું ત્યારે તે મુનિએ મને ઉપરામ કરવાનું' કેમ કહ્યું ? તેએ અસત્ય । ન જ કહે, કારણ કે મારી પાસે તે નિ થને કશા સ્વા ન હતા. ત્યારે શું મારા શરીરની અંદર કાંઇ ઉપશમ કરવા જેવું છે ? વિશેષ વિચારમાં આગળ વધતાં તેને જણાઇ આવ્યું કે, અરે ! ઉપશમ કરવાનું તે આત્માની અંદર ઘણું જ જાય છે, આ ક્રોધરૂપ દાવાનળ તા સળગી રહ્યો છે સુસમાને લેવાને પાછળ પડેલા ધનશેઠ ઉપર કાંઇ એછે ક્રોધ નથી. મારા વિચાર એવા થાય છે કે તે શેઠને હમણાં દેખુ' તે! જીવથી મારી નાખું. તેમજ મારા સહાયકાને વિખેરી નાંખનાર અને મને આમ હેરાન કરનાર કાટવાળ ઉપર પણ કાંઈ ઓછા ક્રોધ નથી. મને તે શા માટે હેરાન કરે ? ગમે તેવા ઉપાયે પણ તે વેર તો વાળવું જ. શું આ માન કાંઈ એછુ' છે ? આ ઉપશમ કરવા લાયક નહિ, તેા વળી બીજું શું હશે ? ગમે તેવા છળ પ્રપ`ચ કરીને પણ લેાકેાને ઠગવા-લુંટવા, આ માયા પણ ઉપશમ કરવા જેવી છે. ત્યારે આ જગતને લુંટી, મારીને, કાપીને, પૈસા એકઠા કરવા અને મારે સુખી થવું છે. આ લાભ સમુદ્ર, તા સવાઁથી વિશેષ પ્રકારે દખાવવા લાયક છે. આ સવે ક્રોધાદિ ઉપશમાવવાનું જ તે મહાત્માએ મને જણાવ્યું છે. તા હવે મારે તે ક્રોધાદિને કેવી રીતે ઉપશમાવવા ? યા તેના નાશ કરવા ? અગ્નિને ઉપશમાવવી હાય તા ધુળ, રાખ યા પાણી જોઇએ, તેમ ક્રોધને ઉપશમાવવાને તેના પ્રતિપક્ષી મને તા ક્ષમા જ જાય છે. ત્યારે તે સના ઉપર મારે ક્ષમા કરવી. તેથી ક્રોધ ઉપશમી (દબાઇ) જશે. એજ પ્રમાણે તેણે ક્ષમા કરી; કે તરત જ ક્રોધના વિચારા શાંત થયા. જરા શાંતિ આવી, વિચારની વ્યાકુળતા ઓછી થઈ કે માનને દખાવવા માટે વિચાર કરવા લાગ્યા. મને તે શા માટે હેરાન કરે ? અરે ! તેં અપરાધ કર્યા માટે, એક તા અપરાધ કરવા અને વળી આટલું અર્ધું માન કે શા માટે હેરાન કરે ? આ ઠેકાણે પણ મારી જ ભૂલ
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy