________________
૩૮
યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ. છતાં આવા મહાત્માઓ પાસે ધર્મ હોય છે, અને તે ધર્મથી સુખી થવાય છે, એમ તેને જાણવામાં હતું. હું અત્યારે ખરેખર દુઃખી હાલતમાં છે. માટે તેથી મુક્ત થવા મને ધર્મની જરૂર છે અને તે ઘમ આ મહાત્મા પાસેથી મને મળી જોઈએ. પણ હું ધર્મ માગીશ અને તરત જ આ મહાત્મા મને તે આપશે કે કેમ તે વિષે મને તે શંકા છે. કેમકે ધર્મ જેવી વસ્તુ એકદમ માગવાની સાથે જ કેમ આપી શકાય. માટે નમ્રતાથી નહિ પણ કાંઈક ભય દેખાડવાપૂર્વક માગણી કરૂ કે ભયથી તે તુરત જ આપી દેશે. આવા આશ. યથી તે શ્રમણની પાસે આવ્યો અને જોરથી બે કે તે સાધુ! તું મને ધર્મ બતાવ, નહિતર આ તલવારથી તારૂં મસ્તક કાપી નાખીશ.
આ શબ્દો સાંભળીને જ્ઞાની મુનિ વિચારવા લાગ્યા કે “આવી રીતે ધર્મની માગણું તે આજ સાંભળી. ભલે ગમે તેમ છે, પણ આવી ધર્મની માગણી એ તેની ધર્મ વિષયિક આતુરતા સૂચવે છે. આવી આતુરતાવાળા જીવોમાં રોપેલું ધર્મબીજ એ ઉત્તમ ક્ષેત્રમાં વાવેલા બીજની માફક થોડા વખતમાં ફળ આપે છે.” માટે મારે આને ધર્મ બતાવ તે ખરો પણ અત્યારે આવી આતુરતાવાળા માણસ પાસે વિસ્તારથી ધર્મ કહેવાને અવસર નથી. સંક્ષેપમાં કાંઈ કહેવાથી તેના ઊંડા વિચારમાં ઉતરતાં આને અવશ્ય ફાયદો થશે.
આવા વિચારમાં તે ચારણ મુનિએ કાર્યોત્સર્ગ પારીને (ધ્યાન સમાપ્ત કરીને) ચિલાતીપુત્રને કહ્યું કે, ભવ્ય ! ઉપશમ, સંવર અને વિવેક આ ત્રણ ધર્મ છે.” આ પ્રમાણે કહીને તે ચારણ શ્રમણ આકાશ માગે કેાઈ બીજે ઠેકાણે ચાલ્યા ગયા. આ તરફ ચિલાતીપુત્ર વિચાર કરવા લાગ્યા કે મુનિ તે આ ત્રણ શબ્દ કહીને જ ચાલ્યા ગયા. મારે હવે આ ત્રણ શબ્દોમાં સમજવું શું ? સાધુ જુઠું તે ન જ કહે. ત્યારે ત્રણ શબ્દોમાં જ તેમણે મને ધર્મ બતાવ્યો કે ? પ્રથમ તેમણે ઉપશમ એવું પદ કહ્યું તે ઉપશમનો અર્થ ? ઉપશમ એટલે શાંત થવું, દબાવવું, શાથી શાંત થવું? કેને દબાવવું? મારી પાસે એ.વી કઈ વસ્તુ છે કે તે ઉત્કર્ષ પામેલીને શાંત કરું, કે તેની ઉત્કટ