SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા ચિલાતીપુત્ર. ૩૭ પાછળ ભય, સુસમાને ઉપાડવી અને પાંચ પુત્રો સહિત ધનશેઠનું નજીક આવી પહેાંચવું. આ સવ કારણથી તે ગભરાયા. તેની હિંમત ઓછી થઈ ગઈ. સુસમા સહિત સલામત હવે હું અહિંથી જઈ નહિ શકું. એ વાતની તેને ખાત્રી થઈ ચૂકી છતાં પૂર્વજન્મના સ્નેહથી અને અત્યારના નવીન માહથી સુસમાને મૂકી દેવી તેને ઠીક ન લાગ્યુ. તેમ સાથે લઇ જવાની પણ તેની હિંમત નહાતી. આથી તે મુંઝાયા. તેને સુસમાને સાથે કેવી રીતે લઈ જવી તેના એકે વિચાર ન સૂઝયા એટલે છેવટના નિર્ણય ઉપર આવ્યા કે ખાઉં નહિ તેા ઢાળી નાંખુ, ખીજાના હાથમાં ન દઉં. આવા વિચારથી સુસમાને નીચે ઉભી રાખી મ્યાનમાંથી તલવાર કાઢી તેનું માથુ કાપી નાંખ્યું. મેહથી તે તેના માથાને લઈ ઝડપથી ગાઢ જંગલમાં ચાલ્યેા ગયા. આ બાજુ શેઠ ઘણા ઝડપથી નજીક આવ્યા પણ તેના આવતા પહેલાં તે। સુસમાનુ મરણ થઈ ગયુ હતું. શેઠના પ્રયાસ નિષ્ફળ ગયા. શેઠને ઘણુ' લાગી આવ્યું. ઘણા વિલાપ કર્યાં. આખરમાં શાક સહિત શેઠ ફરી શહેરમાં આવ્યો અને વૈરાગ્યથી વાસિત થઈ ચારિત્ર લીધું. એક હાથમાં તલવાર અને ખ઼ીજા હાથમાં સુસમાનું માથું લઈ ચિલાતીપુત્ર એક જ'ગલમાં આવી પહેાંચ્યા. ભય અને ખેદથી રસ્તા ભૂલી ગયા, જે ઠેકાણે પહેાંચવું હતું તે ઠેકાણે પહેાંચી ન શકયો. પૂર્વજન્મના પ્રેમથી સુસમાનું મુખ વારવાર જોવા લાગ્યા પણુ તેની સાથે ખેદ થઈ આવ્યા. ભલે તેના હૃદયને તે સુખ મેહ ઉપજાવે પણ તેના તરફથી જવાખ મળવાની કે વાતચિત થવાની આશા તો નહોતી. સુસમા ન મળી, સ્થાન હાથ ન આવ્યું, પેાતાના સાથીઆના વિયાગ થયા, રસ્તો ભૂલાયે, સુના રાનમાં પાણી ન મળે, ભૂખ્યો અને તરસ્યા આમતેમ ભટકવા લાગ્યા. ભટકતાં ભટકતાં નજીના ભાગમાં કાર્યાત્સંગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભેલા એક ચારણુ શ્રમણને (આકાશમાં ગમન કરનાર મુનિને) તેણે જોયા. આવા ઉજજડ વેરાનમાં આવા મહાત્મા કયાંથી ? કાંઇક સારી આશાથી ચિલાતીપુત્ર આ મહાપુરુષની પાસે આવ્યા. વિનય વિવેક તા જાણતા નહાતો
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy