SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ ઘેર ઘણું ધન છે. તેમજ અત્યારે યૌવનવય પામેલી સુસમા નામની એક પુત્રી પણ છે, તો આજે તેને ઘેર જઈ રાત્રે ખાતર પાડવું. જેટલું ધન મળે તે સર્વે તમારે વહેચી લેવું અને શેઠની પુત્રી છે, તે મારે રાખવી. બધા ચેરે તેના વિચારને સંમત થયા. રાત્રિએ રાજગૃહીનગરીમાં ગયા. તાળાં ઉઘાડવાની વિદ્યાથી દરવાજાનાં તાળાં ઉઘાડ્યાં અને અસ્વાપિની નિદ્રા નામની વિદ્યાથી ચોકીદારોને નિદ્રામાં નાખી, તે ધનસાર્થવાહનું ઘર ચેરી પાસે ચિલાતીપુત્રે લુંટાવ્યું અને પોતે નિદ્રાને પરાધીન થએલી તે સુસમાં બાળાને ઉઠાવી જીવની માફક તેને લઈને સઘળા ચેરોની સાથે ત્યાંથી નિકળી પડ્યો. . ધન શેઠ જાગૃત થયો. ધન લુંટાયું અને સુસમાનું હરણ થયું જાણ, શેઠને ઘણુ લાગી આવ્યું. તત્કાલ જઈ કોટવાળાને ખબર આપી, વિશેષમાં શેઠે કેટવાળને કહ્યું કે ઢીલ ન કરે અને હમણાં જ તેઓને પીછો કરે. ચાનું લુંટેલું ધન તમે લેજે. પણ મારી સુસમાં નામની વહાલી પુત્રી અને પાછી લાવી આપે. ધનની લાલચથી કેટવાળ તત્કાળ તૈયાર થઈ કેટલાક ચોકીદારને સાથે લઈ ચરોની પાછળ પડ્યો. શેઠ પણ પિતાના પાંચ પુત્રોને સાથે લઈ ચેરની પાછળ ગયે, ઘણું ઝડપથી આગળ વધતાં તેઓ લગભગ ચેરેની નજીક પહોંચ્યા. ચેરો પણ પોતાનો પ્રાણ બચાવવા માટે ધનને ત્યાં જ મૂકી દઈ આગળ જંગલમાં નાસી ગયા. ધન મળી જવાથી કેટવાળ ત્યાં જ રોકાયો. આ બાજુ ચિલાતીપુત્ર પિતાના પ્રાણને સંકટમાં નાંખવા તૈયાર થયો પણ પ્રાણથી વહાલી, સુસમાને તેણે ન મૂકી. પોતાના ખભા ઉપર જેમ સિંહ બકરીને ઉપાડીને ચાલ્યા જાય, તેમ ખભા ઉપર સુસમાને ઉપાડીને જ ગલ તરફ ચાલ્યો ગયો. ધનશેઠને ધન કરતાં પિતાની પુત્રીને મેળવવાની ઈરછા અધિક હતી, તેથી તે ત્યાંથી ન અટ, પણ પિતાના પાંચ પુત્રને સાથે લઈ હથિયાર સહિત ચિલાતીપુત્રની પાછળ દેડયો. ચિલાતીપુત્ર થાકી ગયા. એક તે જગલ, આડા ખડીઆ, ઝાળાં, ઝાંખરાં આડા આવે, ઉનાળાને વખત, તૃષા લાગી, ઝડપથી દોડવું,
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy