SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રભાષાંતર-પ્રથમ પ્રકાશ તે લે કે તેને માર મારતા, ગાળે દેતા, ભિક્ષા ન આપતા અને તેના પાપે યાદ કરાવી આપતા હતા. પાપ યાદ આવવાથી તે મહાત્મા ભિક્ષાને ત્યાગ કરી દરવાજા બહાર કાયેત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ રહેતા. પૂર્વે બાજુ દોઢ માસ રહ્યા અને એ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ દરવાજા તરફ પણ દોઢ દોઢ માસ થઈ ગયા. હજી સુધી કઈ કઈ લોકે તે પાપે યાદ કરાવી આપતા. છ માસ નિરાહાર રહેતાં અને તેટલે કાળ ધ્યાનસ્થપણુમાં વ્યતીત કરતાં તેણે ઘણું કર્મો ખપાવી નાંખ્યાં. - અહીં તેનું ધૈર્ય ક્ષમા, વિવેક અને ધ્યાન એ પરાકાષ્ટાએ પહેચ્યા. છેલ્લે શરીર ઉપરની મૂચ્છ (આસક્તિ) પણ લોપ થઈ ગઈ એક આત્મરમણતા સિવાય બીજું બધું ભાન તેને ભૂલાયું હતું. તેના રોમે રમે આત્મભાવ જ કુરાયમાન થયો હતેસજજને કે શત્ર આ દુનિયામાં તેને કેઈ રહ્યું હતું, એમ કરતાં તેના પરિણામની સ્થિતિ અવર્ણનીય થઈ ગઈ. મેગની છેલ્લી અવસ્થામાં તેણે પ્રવેશ કર્યો. અગ્નિથી કોઇને નાશ થાય તેવી રીતે ગરૂપ અગ્નિથી, કમેધન બાળી નાંખ્યા અને છ મહિનાને અંતે કેવળજ્ઞાન પામી ત્યાં જ આયુષ્યાદિ કર્મોને ક્ષય થતાં મિક્ષપદ મેળવ્યું. આ પ્રમાણે દઢપ્રહારીએ નરકના અતિથિપણાને મૂકીને યુગના અવલંબનથી છ માસમાં મેક્ષપદ પ્રાપ્ત કર્યું. “આ દઢપ્રહારીને ચરિત્રમાંથી આપણને ઘણું શીખવાનું છે. તેને પાપને પશ્ચાત્તાપ, પાપથી છુટવાની આતુરતા, મહાત્માના વચન ઉપર શ્રદ્ધા, મહાન ક્ષમા, ધૈર્યતા અને પરિણામની વિશુદ્ધિ એ સર્વ ગુણે વારંવાર મનન કરી આદર કરવા જેવા છે. આવા કેઈ પણ વિશિષ્ટ ગુણ સિવાય અતિ ઉચતર લાભ થતું નથી. ખરૂં પૂછો તો એવા આતિશયિક ગુણે તે જ યોગ છે. એ સર્વ વાત આ મહાત્માના ચરિત્રમાંથી મળી શકે છે.”
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy