________________
મહાત્માં દઢપ્રહારી
૩૩ ખરેખર તેઓ તારા મિત્ર જ છે. ભલે આ લકે તને મારે. સમભાવે સહન કરતાં સુવર્ણના મેલને જેમ અગ્નિ દૂર કરે છે, તેમ તારે પાપરૂપ મેલ સમભાવરૂપ અગ્નિથી બળી જશે અને તું સુવર્ણની માફક ઉજજવલ યા નિર્દોષ થઈશ.
દુર્ગતિરૂપ કૂવામાંથી આક્રોશ અને પ્રહાર કરવારૂપ દેરડાથી તને ખેંચી લઈ પરિણામની મલિનતાથી પિતે બંધાઈ ભવકૃપમાં પડે છે, તે તારા ઉદ્ધાર કરનારના ઉપર તારે શા માટે ગુસ્સે થવું જોઈએ? પિતાના પુણ્યને નાશ કરી બીજાને ઉદ્ધાર કરનારા આ લોકો સિવાય મહાન ઉપકારી બીજા કેણ છે? આ વધ અને બંધને મને હર્ષ આપે છે. કેમકે સંસારમાંથી મુક્ત થવામાં તે મને સહાયક છે. તે જ વધ-બંધને સામાને અનંત સંસારને હેતુ થાય છે એ જ મારા હૃદયમાં કાંટાની માફક ખૂચ્યાં કરે છે. કેટલાક માણસે બીજાને સુખી કરવા માટે ધન અને શરીરને પણ ત્યાગ કરે છે. તે આ લોકોને સુખી કરવા માટે આક્રોશ કે પ્રહાર સહન કરવા પડે તે મારા માટે કાંઈ હિસાબમાં નથી. હે ચેતન ! આ લો તારો તિરસ્કાર કરે છે, પણ મારતા તે નથી; ને મારે છે તે પણ જીવથી તે વિમુક્ત કરતા નથી જ, અથવા જીવથી મારવા ધારે છે, પણ તારા ધર્મને તો નાશ કે હરણ કરતા નથી જ.
હે આત્મન ! કલ્યાણના અર્થી છાએ આક્રોશ, માર, બંધન, તાડન અને તર્જન એ સર્વ સહન કરવું જોઈએ. એટલું જ નહિ પણ નિર્મમત્વ થઈ શરીરથી પણ નિરપેક્ષ થવું જોઈએ. તેમ થયા સિવાય કલ્યાણનો માર્ગ ક્યાં છે ? આવી શુદ્ધ ભાવનાથી વાસિત થઈ તે દઢપ્રહારીએ તે દરવાજા આગળ દોઢ માસ પસાર કર્યો, ત્યારે લકે શાંત થયા. તેને કઈ બેલાવવા ન લાગ્યા કે તેના સંબંધી કાંઈ બોલતા ન સંભળાયા એટલે ત્યાંથી પૂર્વ દિશાના દરવાજા તરફ જઈ ધ્યાનસ્થપણે રહ્યો. કયારેક ભિક્ષાને માટે તે શહેરમાં જ,