________________
યેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ
આપી, અર્થાત્ આ વિચારમાં જ તેણે દૂરથી જતા ચારણમુનિને જોયા. આ મહાત્માઓને જોતાં જ તે એકદમ બુમ પાડી ઉઠર્યા. આ મહાત્માએ ! આ મહાત્માએ ! તમે મારૂં રક્ષણ કરી ! રક્ષણ કરે ! હું તમારે શરણે આવ્યા છું. જો તમારા જેવા પરઉપકારી મહાત્માએ પણ આ પાપીની ઉપેક્ષા કરશે તો પછી મારે કેાના શરણે જવું ? આ વરસાદ ઉચ્ચ-નીચના તફાવત રાખ્યા સિવાય દરેક સ્થળે વૃષ્ટિ કરે છે. સૂર્ય ચંદ્ર તેવી જ રીતે તફાવત સિવાય પ્રકાશ આપે છે, તો આપ મહાત્મા શું પુણ્યવાન અને પાપીનેા તફાવત રાખશેા ? પર ઉપકારીઓને તો તેમ ન જ ઘટે.” આ પ્રમાણે માલતો તેની પાછળ
ઉતાવળથી ચાલ્યા.
૩૦
આ ચારણશ્રમણેા પણુ કાઇ ચેાગ્ય જીવ જણાય છે, એમ માની તેની કરૂણાથી ત્યાં ઉભા રહ્યા. દૃઢપ્રહારી નજદીક આવ્યા અને તે મહાપુરુષાના ચરણારવિંદમાં નમી પડ્યો. આંખમાંથી અશ્રુની ધારાએ છુટવા લાગી, કંઠ રૂધાઈ ગયા. ઘણા ખેલવાના પ્રયત્ન કર્યાં પણ તે ખાલી ન શકયેા. મુનિઓએ તેને ધીરજ આપી મસ્તક ઉપર હાથ સૂકા, અને આમ ગભરાવાનું કારણ પૂછ્યુ. ત્યારે થાડા સમય પછી મુનિનાં આશ્વાસનથી શાંત થયેલા દૃઢપ્રહારીએ ગદ્દગદિત કઠે પાતાનાં કરેલાં અકાર્યો જણાવી આપ્યાં અને તે પાપાથી મુક્ત થવાના ઉપાય પૂછયેા. “ યાં સુધી મનુષ્ચા પાતાનાં કરેલાં અકાર્યોંને અકારૂપે સમજતા નથી, સમજવા છતાં તેને મૂકી દેવાના સાચા નિશ્ચય ઉપર આવતા નથી, મૂકી દેવાના નિશ્ચય ઉપર આવ્યા છતાં પણ તેને માટે પ્રયાસ કરતા નથી, અને વૈરાગ્યરસથી ભરપુર થતા નથી, ત્યાં સુધી તે યાગના ખરા અધિકારી નથી. દૃઢપ્રહારીની સ્થિતિ અત્યારે યાગની ચૈાગ્યતાને લાયક થઈ હતી. તેની સ મના વૃત્તિઓમાં એ જ રસ ભરેલા હતો કે આવાં ઘાર પાપાથી મુક્તિ કેવી રીતે મેળવવી?” ચારણશ્રમણેાએ તેવી ચેાગ્યતા તરત જોઈ લીધી અને સાથે જ દેહ અને આત્માની ભિન્નતા, કર્મીને આવવાનાં કારણેા, કર્માને રાકવાના હેતુઓ અને પૂર્વાપાત કર્મોને નિજી