________________
મહાત્મા દઢપ્રહરી.
૨૯
ત્યાં થંભ્યો. તેના હૃદયમાં આ બાળકના હૃદયભેદક વિલાપાએ પ્રવેશ કર્યો. કૂર સ્વભાવવાળા ચાર નાયકના હૃદયમાં પણ દયાએ વાસ કર્યો અને દયાની પ્રેરણાથી તેના મનમાં વિચાર પ્રદીપ પ્રગટ થયો. તેના વિચાર બદલાયા. “અહા ! નિરાધાર આ બાળકની હવે કોણ સંભાળ કરશે? તેઓને હવે કેને આધાર? તેઓ કેવી રીતે માં થશે ? તેને કેળુ ખાવાનું આપશે? ધિક્કાર થાઓ મારાં આ અવિચારીત પાપ કર્મોને ! આ એક પાપી પેટ માટે મેં કે અનર્થ કર્યો છે? આ બાળકને મેં તદ્દન નિરાધાર જ કરી નાંખ્યાં છે! અરે ! શું આ મારા ઉગ્રબળનું અજમાયશ કરવાનું આ જ ઠેકાણું ? જ્યારે વીર પુરુષે પોતાના બળથી અનેક જીવોનું રક્ષણ કરે છે, અને અનેકને આશ્રય આપે છે, ત્યારે મારા જેવા પાપી જીનું બળ એ જગત જેને ક્ષય કરવાનું અને તેમને નિરાધાર બનાવવાનું કારણ જ થાય છે ! અરે આવાં અઘાર કર્મોથી હું ક્યારે અને કેવી રીતે છુટી શકીશ ?, મને તે ખાત્રી થાય છે કે આવાં મલીન કર્મોથી નરકમાં પણ મને ઠેકાણું નહિ મળે ! ”
આવા વિચારની ગમગીનીમાં અને તે બ્રાહ્મણના બાળકોની કારૂણિક સ્થિતિના વિચારમાંને વિચારમાં તે આગળ ચાલ્યા. આવા કર કર્મોથી મારો છુટકારો કેઈ મહાત્મા પુરુષ સિવાય થવાને નથી, માટે હવે ચોરી વગેરે મુકી દઉં, આ એરોની સહાયની મને કાંઈ જરૂર નથી. ભલે તેઓની મરજી હોય ત્યાં ચાલ્યા જાય. આવા વિચારથી તે ગામ બહાર આવ્યા. આ બાજુ તેની સાથેના ચેરે પણ પિતાને મળેલો માલ લઈ ચાકીદારોના ભયથી નાશીને જંગલમાં ચાલ્યા, દઢપ્રહારી ગામની બહાર આવી ઉદાસીનતાથી ભરપુર સ્થિતિમાં એક વૃક્ષ નીચે બેઠે. આ વખતે તેને વૈરાગ્યરસ વૃદ્ધિ પામતો હતો. ઈચ્છાયોગ જાગૃત થયે હતો, મને સાત્વિકભાવને પામ્યું હતું અને ખરાબ કર્તવ્યોને પૂર્ણ પશ્ચાત્તાપ થતો હતો. કર્મોએ તેને સાથ આપ્યો. તેના મને રથે પૂર્ણ થવામાં સહાયકની પૂણ જરૂર હતી. તે જરૂર તેના વિચારથી પવિત્ર થતાં અંતઃકરણની ઉજવલતાએ મેળવી