SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા દૃઢપ્રહારી ૨૭ બ્રાહ્મણ, શ્રી, બાળક અને ગાયના ઘાત કરવાના પાપથી નરકના અતિથિ ( પરાણા ) તરીકે જવાને તૈયાર થએલા દૃઢપ્રહારી આદિનુ રક્ષણ કરનાર ચેાગ જ છે. ૧૨ વિવેચન—બ્રાહ્મણ, શ્રી, બાળક અને ગાય આ ચાર હત્યા લેાકેામાં બહુ નિંદનીય ગણવામાં આવી છે, તે અપેક્ષાએ અહીં વિશેષ જણાવવા માટે ગ્રહણ કર્યુ છે. નહિંતર જીવાની હિંસામાં સામાન્ય પાપ સરખું ગણવામાં આવ્યું છે. આવી ઘેાર હિંસા કરનારાએ પણ યોગના અવલખનથી નરકમાં જતા અટકી તે જ ભવમાં નિર્વાણપદ પામ્યા છે. એ જ ચેાગની મહાન શક્તિ અને આદરણીયતા જણાવી આપે છે. દૃઢપ્રહારી કાણુ હતા, અને કેવા પ્રસંગેામાં તેણે યાગનુ અવલંબન કર્યુ. તે પ્રસ`ગેાપાત જણાવવું ઉચિત છે, એમ ધારી તેનુ ચિત્ર અહીં આપીએ છીએ. કેાઈ એક નગરમાં સ્વભાવથી જ ઉદ્ધૃત પ્રકૃતિવાળા એક બ્રાહ્મણ રહેતા હતા. પ્રાપ બુદ્ધિ અને અન્યાયમાં આસક્ત જોઇ કોટવાળે તેને ગામમાંથી કાઢી મૂકર્યા. ફરતા ફરતા એક જગલમાં ચારના નાયકને મળ્યા. કેટલાક દિવસ ત્યાં રહ્યો. પેાતાના સરખા આચરણવાળા તે બ્રાહ્મણને જાણીને ચારના નાયકે તેને પુત્ર તરીકે રાખ્યો; યુદ્ધના પ્રસંગમાં ઘણી જ સખ્ત રીતે પ્રહાર કરતા જોઈ તેઓએ તેનુ દૃઢપ્રહારી નામ પાડ્યુ. ચારના નાયક કાળાંતરે મરણ પામ્યા. બધા ચારાએ એકઠા થઈ તેને નાયકપણે સ્થાપ્યા. એક દિવસે ચારની મેાટી સેના સાથે લઈ તે કુશસ્થળ નામના ગામમાં દાખલ થયા અને છુટથી તે ગામ લુંટવા માંડ્યું. તે જ ગામમાં એક ગરીબ અવસ્થાવાળા બ્રાહ્મણ રહેતા હતા. તેનાં નાનાં નાનાં બાળક તેની પાસે કેટલાક દિવસથી ખીરની માગણી કરતાં હતાં. એક દિવસ છેાકરાઓના મનેરથા પૂર્ણ કરવા ગામમાં ઘેર ઘેર ફરી યાચના કરી તેણે ખીરના સામાન મેળવ્યેા. ખીર તૈયાર કરી નદી .ઉપર સ્નાન કરવા બ્રાહ્મણ ગયા, તેટલામાં કેટલાક ચારા ક્રૂરતા કરતા તેને જ ઘેર આવ્યા. ખરેખર દૈવ દુલને જ મારે
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy