SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ લીધા સિવાય સાચું સુખ તે નથી જ.” આ પ્રમાણે અનેક વચનયુક્તિથી ભરત મરૂદેવાજીને સમજાવતા હતા, પણ મોહના પ્રબળ આવરણથી ભારતના શબ્દોની અસર તેમને થતી નહતી. આ બાજુ ઋષભદેવ ભગવાન પણ સંયમ ધારણ કરી જ્ઞાન ધ્યાનમાં મગ્નપણે પૃથ્વીતલ ઉપર વિચારવા લાગ્યા. એક સ્થળે નિયત ન રહેતાં અને મનુષ્યાદિના સંસર્ગમાં ન આવતાં વને, પહાડે, જંગલો, રાને અને ગુફા વગેરેમાં રહી એકાગ્રતાપૂર્વક ઘણે ભાગ ધ્યાનમાં જ નિર્ગમન કરતા. આહારાદિકની જરૂર જણાયે વસ્તીમાં જતા હતા. આ પ્રમાણે એકંદર હજાર વર્ષ જેટલો લાંબે સમય જવા પછી એક વખત પુરીમતાલ નામના શહેરના ઈશાન ખુણામાં આવેલા સકટાનન નામના વનમાં ન્યોધ (વડ) વૃક્ષની નીચે અઠમ તપ કરી ધ્યાનસ્થપણે રહેતાં પરિણામની વિશેષ વિશુ દ્વતા અને ધ્યાનની પ્રબળતાએ ક્ષપકશ્રેણી ઉપર (કર્મને ખપાવવાની તીવ્ર ધારા ઉપર) આરૂઢ થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવસરે દેવે એ સમવસરણ બનાવ્યું. દેવદુંદુભિના શબ્દો થવા લાગ્યા. વનપાલકે ભરત રાજાને જઈ વધામણ આપી. ભરત રાજાએ ચતુરંગિણ સેના તૈયાર કરાવી મરૂદેવાજી માતા પાસે આવી તેમને વધામણ આપી, તે કહેવા લાગ્યા કે, માતાજી! પુત્ર વિયેગથી આપ ઘણું જ દુઃખી થાઓ છે. આજે આપના દુઃખને અંત આવ્યો છે. ઋષભદેવજીને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું છે, દેએ સમવસરણ રચ્યું છે. ચાલો, ઉઠે માતાજી! પુત્રનાં દર્શન કરાવું.” આ વચને સાંભળી ઘણુ જ હર્ષથી માતાજી તૈયાર થયાં હાથી ઉપર માતાજીને બેસાડી ભરત રાજા છત્ર ધરી તેમની પાછળ બેઠા. સમવસરણ દૂરથી દેખાતાં માતાને ઉદ્દેશીને ભરત બે ” જુઓ માતાજી ! આપના પુત્રની ઋદ્ધિ. આ દુભિના શબ્દો સંભળાય છે. જુઓ આ દેવ-દેવીઓને માટે કેલાહલ થઈ રહ્યો છે. સાંભળે તે ખરાં ! માલકેષ રાગમાં જે સુંદર ધ્વનિ સંભળાય છે, તે આ સર્વ. દેવાદિ કાને ઉપદેશ આપતા આપના પુત્રને જ છે.”
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy