________________
ગથી થતી લબ્ધિઓ
૧૯ નીતિમાર્ગમાં નિપુણ કરી પૂર્ણ જ્ઞાન અને નિવૃત્તિ મેળવવા માટે પિતાના ભરતાદિ સે પુત્રોને રાજ્યાદિ અધિકાર વહેચી આપી પિતે શ્રમણ માર્ગને સ્વીકાર કર્યો. જ્ઞાનક્રિયાની પ્રબળતાથી કર્મના આવરણે દૂર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સત્ય ધર્મને તાવિક ઉપદેશ આપી મનુષ્યને ધાર્મિક રસ્તે દેર્યા.
ભરતરાજાને રાજ્ય પામ્યા પછી પૂર્વ જન્મના પુણ્યાનુસાર ચૌદ રત્ન અને નવ નિધાન પ્રાપ્ત થયાં. ભરતક્ષેત્રના પૂર્ણ છ ખંડ પોતાને સ્વાધિન કરી ચક્રવર્તી પણાને રાજ્યાભિષેક પામી શક્યા.
એક વખત આરિલાભુવનમાં (આરિસાના જ ઘરમાં) વસ્ત્રાભૂષણ પહેરવા માટે ગયા. ત્યાં યથાયોગ્ય જ્યાં જોઈએ ત્યાં વસ્ત્ર અને અલંકાર પહેરી પોતાના શરીરને આરીસામાં જુવે છે તે એક આંગળીમાંથી વિટી પડી ગએલી જણાઈ. અલંકારથી ભરપુર બીજી આંગળીઓની આગળ આ, આંગળી નિસ્તેજ યાને ઝાંખી જણાઈ. દિવસે દેખાતા ચંદ્ર સરખી આંગળી જેઈ અંગ ઉપરનાં સર્વ વસ્ત્રો અને આભૂષણે દૂર કર્યા. દૂર કરવાનું કારણ એ કે વસ્ત્રાભૂષણ સિવાય શરીર શોભે છે કે કેમ? વસ્ત્રાભૂષણે દૂર થતાં હિમથી દગ્ધ થએલ વૃક્ષના જેવું અશોભનિય શરીર જણાયું.
અહીં વિચારનો પ્રવાહ બદલાયો અને તે આગળ વધ્યો. રાજ્ય ખટપટના અને અંતેઉર (અંતઃપુર) સંબંધી વિચાર ભૂલાયા. શરીરને વસ્ત્રાભૂષણથી ભાવવું એ તે પથ્થર અને માટી યા રેતીથી બનાવેલા ઘરને સારૂં દેખાડવા ઉપર ચુને લગાડવા જેવું છે. ચુનાની દીવાલો સારી લાગે છે, પણ અંદર શું છે તે વિચારતાં તે પથરાકાંકરા, માટી ને રેતી વિગેરે જ જણાય છે. તેમ આ શરીર પણ સુંદર ત્વચાએ મઢેલ હોવાથી જ રમણીય લાગે છે, પણ અંદરથી તે તે લોહી, માંસ, હાડ, વિષ્ટા, મૂત્ર, પિત્ત, કફ અને મજજાદિથી ભરપૂર છે. કપુર, કસ્તુરી અને ચંદન વગેરે ઉત્તમ સુગધી તો પણ આ શરીરના સાગથી દૂષિત યા દુર્ગતિ થાય છે.