________________
ગથી થતી લબ્ધિઓ
૧૭ દેહે મને દગો દીધે, પણ હજી જ્યાં સુધી તે પડી ન જાય તે પહેલાં તેમાંથી જેટલી બની શકે તેટલી આત્મસાધના કરી લઉં.
આ પ્રમાણે વૈરાગી ચક્રવર્તીએ પુત્રને રાજ સોંપી વિનયંધર મુનિ પાસે ચારિત્ર લીધું મેહથી તેને પ્રેમાળ પરિવાર છ માસ પર્યત પાછળ ફર્યો, પણ નિકષાય, ઉદાસીન, મમત્વરહિત અને નિગ્રંથ તે મહાત્માને જાણે છેવટે તેઓ પાછા ફર્યા. સનકુમાર મહામુનિને પણ સરસ, વિરસ તથા અનિયમિત આહાર લેતાં શરીરમાં રેગે વૃદ્ધિ પામ્યા. ક્ષણભંગુર દેહને ભરોસે શા માટે કરો ? તેમાંથી આપણું કામ કાઢી લેવું, તે તે પડી જશે જ. આ ઈરાદાથી તે મહાત્માએ મહાન તપશ્ચર્યા કરવા માંડી, તપશ્ચર્યા અને આત્મધ્યાન કરતાં સાત વર્ષો નીકળી ગયાં. તે અરસામાં તેઓને અનેક લબ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. એક વખત આ મહાત્માની સહનશીલતા અને શરીર ઉપર પણ નિમમત્વ જોઈ ફરી દેવે આગળ ઈંદ્ર પ્રશંસા કરી કે, હે દે! બળતા અગ્નિના પુળાની માફક ચક્રવર્તીની ઋદ્ધિને ત્યાગ કરી ઘેર તપશ્ચર્યાથી અનેક લબ્ધિઓ પ્રાપ્ત થયેલી છે છતાં શરીરથી નિરપેક્ષ આ સનકુમાર મુનિ બીલકુલ ચિકિત્સા કરતા થા કરાવતા નથી. તે જ દે ફરી વૈદનું રૂપ કરી તે મુનિ પાસે આવ્યા અને અમે મહાન વૈદ્યો છીએ; તેમ કહી સનકુમારને ચિકિત્સા કરવા પ્રેરણા કરી. સનકુમાર તેમને કહે છે કે, હે વૈદ્યોરોગ બે પ્રકારના છે; બાહ્ય અને અત્યંતર; બાહ્ય રાગેની મને બીલકુલ દરકાર નથી પણ રાગ-દ્વેષ, કામ-ક્રોધ, માયા-લભ વિગેરે અંતરંગ રે મારામાં છે તેની ચિકિત્સા કરતા હો તે હું કરાવીશ, કેમકે બાહ્ય રોગ કાઢવાનું સામર્થ્ય મારામાં છે. પછી દેવોને બતાવવા ખાતર પોતાના કફ તથા થુંક વિગેરે વડે રેગોથી ભરપુર એક આંગળી ઉપર લેપ કર્યો કે તત્કાળ પૂર્વના રૂપથી પણ અધિક રૂપવાન થઈ. દેવે આ જોઈ આશ્ચર્ય પામી પગમાં પડ્યા અને જણાવ્યું કે જેવી રીતે બાહ્ય રોગ કાઢવાની શક્તિ તમારામાં છે, તેવી અંતરંગ રોગ કાઢવાની શક્તિ