________________
૧૬
યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ બ્રાહ્મણરૂપધારી તે દેએ જવાબ આપ્યો કે તમારું રૂપ અધિક સાંભળ્યું હતું અને તે કુતુહલથી પ્રેરાઈ અમે તે જોવા આવ્યા છીએ. રાજાએ જવાબ આપ્યો કે અત્યારે હું સ્નાન કરૂં છું, શરીર ળ વગેરેથી ખરડાયેલું છે, માટે રાજ્યસન ઉપર બેસું ત્યારે તમે આવજે, તે અવસરે તમને વિશેષ મજા પડશે. બ્રાહ્મણરૂપ ઘારી દેવેએ તેમ કરવા હા પાડી. ચક્રવર્તી તૈયાર થઈ રાજ્યાસન પર બીરાજે. દેવે ત્યાં આવ્યા અને તેનું રૂપ જોતાં જ તેઓનાં મુખે ઝાંખાં થઈ ગયાં. તેઓ ઉદાસ થયા અને નિઃશ્વાસ નાખે. અહા! મનુષ્યના દેહાની આવી ક્ષણભંગુર સ્થિતિ! આની સર્વ શોભા નષ્ટ થઈ ગઈ ! આમ ઉદાસ થયેલા તેઓને સનકુમારે પૂછયું તમેં પહેલાં ઘણું ખુશી થયા હતા અને હમણું આમ ઉદાસીન કેમ ? દેએ જણાવ્યું કે, હે રાજા ! અમે પહેલાં તારું રૂપ જોયું હતું તે અત્યારે નથી. અમે દે છીએ. ઇંદ્ર તમારું રૂપ વખાણ્યું તેથી આશ્ચર્ય પામી અમે જોવા આવ્યાં હતા. આ તમારૂ શરીર હમણ અનેક રોગોથી ભરપુર થઈ ગયું છે, તેથી અમે ઉદાસ થયા છીએ.
આ પ્રમાણે કહી તેઓ ચાલ્યા ગયા, રાજા પણ હિમથી દગ્ધ થયેલા વૃક્ષની માફક પિતાનું શરીર જોઈ વિચારવા લાગ્યો કે ધિક્કાર થાઓ ! આ શરીર નિરંતર રોગથી ભરપુર છે, છતાં મારા જેવા મૂઢ પુરુષે ફેગટ તેમાં ચાહનાં રાખે છે.લાકડામાં રહેલા ઘુણેની માફક રોગોથી આ શરીક સદાય ખવાતું જાય છે. બાહાથી રમણીય પણ અંદર કૃમિઓથી ભરપુર વડના ટેટા સરખું આ શરીર રોગોથી ભરપુર છે. જેમ સેવાળ મહા સરોવરનાં પાણીને યા શોભાને નાશ કરે છે, તેમ રગે શરીરના લાવણ્યને નાશ કરે છે. શરીર કૃષ થતું જાય છે, પણ આશાએ ઢીલી થતી નથી; રૂપ જાય છે, પણ પાપબુદ્ધિ ઘટતી નથી; ઘડપણ આવે છે પણ જ્ઞાન આવતું નથી. આવાં સંસારી જીવોનાં ચેષ્ટિતને ધિક્કાર થાઓ. ખેર ! આજંકાલ નાશ પામવાવાળા આ દેહથી તપશ્ચર્યા કરી કર્મની નિર્જરા મેળવવી તે જ સાર છે. અરે ! મેં ફોગટ આ દેહનો યા રૂપને ગર્વ કર્યો. તે