________________
યોગથી થતી લબ્ધિઓ - વિવેચન-યેગના માહાત્મથી ઉપર જણાવેલ લબ્ધિઓ મેળવવી અશકય નથી. ભલે અત્યારના કાળે કંઈક દુશક્ય લાગે પણ અશક્ય તે નથી જ. અત્યારે દુશક્ય લાગવાનું પણ કારણ સતત અભ્યાસ, તેવા સદ્દગુણીની નિકટતાં, માયિક પ્રાણીઓના સંગથી વિરક્તતા અને વૈરાગ્યની તીવ્રતા વિગેરે અનેક શુભ નિમિત્તો અભાવ જ છે, છતાં પૂર્વ અનેક મહાત્માએ એ આવી લબ્ધિઓને સિદ્ધિઓને લાભ મેળવ્યો છે. તેને અનેક દષ્ટાંતે પુસ્તકમાંથી મળી આવે છે. છતાં ગ્રંથ અધિક થઈ જવાના ભયથી અહીં એક જ દષ્ટાંત આપવામાં આવે છે.
પૂર્વ હસ્તિનાપુરમાં છ ખંડને ભોક્તા સનસ્કુમાર ચક્રવર્તી રાજા રાજ્ય કરતે હેતે તેના શરીરનું રૂપ એટલું બધું તેજવી યા ચમત્કારિક હતું કે ઈદ્ર મહારાજા પણ સ્વર્ગમાં સ્વર્ગીઓની પાસે તેનું વર્ણન કરતે હતે. આ વાત સહન નહિ થતાં વિજય અને વિજયંત નામના બે દેવે ચક્રવર્તીનું રૂપ જેવા પૃથ્વી ઉપર આવ્યા. એ અવસરે સનકુમાર રાજા સ્નાન કરતે હતું તેથી શરીર ખળાદિથી ખરડાએલું હતું, છતાં તેનું રૂપ કે લાવણ્યતા ઢાંકી ન રહી. દેવોને પણ આશ્ચર્ય થયું કે અહા ! શું રાજાનું રૂપ છે ! વિસ્તાર પામેલા અષ્ટમીના ચંદ્ર સરખું લલાટ શેભી રહ્યું છે. નિત્પલને જીતનારાં નેત્રો કર્ણ પર્યત વિસ્તરાયેલાં છે દાંત અને હેઠે પકવ : બિબના ફલેને પરાભવ કર્યો છે. આ કણે શુક્તિકાઓને નિરસ્ત કરી છે. કઠે પાંચજન્ય શંખને જીભે છે ભુજાએ કરિરજની સુંઢાદંડનો તિરસ્કાર કરે છે. આ હૃદયસ્થળ મેરૂ પર્વતની | શિલાની લક્ષમીને લુંટી લે છે, મધ્યભાગ સિંહના ઉદર સરખે છે. વધારે શું કહેવું? આના આખા શરીરની શોભા વર્ણનાતીત છે. ચંદ્રની ચાંદની માફક આના ઉપર અત્યંગન છે કે કેમ તેની પણ ખબર પડતી નથી. જેમ ઈજે વર્ણન કર્યું છે તેમ યા તેથી અધિક આનું સ્વરૂપ છે, અથવા ખરેખર મહાપુરુષે કોઈ વખત અસત્ય ન જ બેલે. તેવામાં ચક્રવર્તીએ પૂછ્યું; તમે અહીં કેમ આવ્યા છે?