________________
ન
યેગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ જાણે શા કારણથી તેના ઉપર વિસ્તારથી ટીકા કરવામાં નથી આવી.. મને તે એમ સમજાય છે કે રસ્તે તેમને સરલ લાગ્યો હોય અને તેથી વિશેષ ટીકાની જરૂર ન જોઈ હોય, તથાપિ અત્યારના સમયે યોગની પ્રણાલિકા કેટલાક વખતથી લેપપ્રાયઃ થતાં વિસ્તારની જરૂર તો છે જ. છતાં તેવા અનુભવી સિવાય તેમના ઉપર વિવેચન કરવું. એ મને અયોગ્ય તે લાગે છે તથાપિ તે મહાત્માના વચનેના આધારે તેને શબ્દાર્થ લખવા ધારું છું અને કેટલેક ઠેકાણે વિવેચન લખું તે તે ટીકાને આધારે યા કેઈ બીજા ગ્રંથને આધારે છે, એમ સમજવું. આ પ્રકારનું અત્રે સૂચન કરવું યોગ્ય ધારું છું..
- યોગનું સામર્થ્ય થો સર્વવિપદી, વિને પરશુ શિતઃ | अमूलमन्त्रतन्त्रं च, कार्मण निवृत्तिश्रियः ॥ ५ ॥
દુનિયાની વિવિધ પ્રકારની વિપત્તિઓના સમૂહરૂપ વેલીઓને કાપવા માટે આ યોગ એક તીક્ષણ ધારવાળા કુહાડા સરખે છે અને મેક્ષ લક્ષ્મીનું મૂળ; મંત્ર અને તંત્ર વિનાનું વશીકરણ છે. પ.
વિવેચન–આધિ, વ્યાધિ અને ઉપાધિ કાંઈ આ દુનિયામાં ઓછી નથી. અથવા જન્મ, જરા, મરણ, રોગ, શોક, સંયેગ; વિગ વિગેરે દુઃખ કાંઈ આ દુનિયાને જીને ઓછા હેરાન કરતાં નથી. આ સર્વ વિપત્તિઓ જ છે. અને તેથી જ તેને મનુષ્યથી શૂન્ય પણ વિવિધ પ્રકારની વલ્લીઓની ગાઢ જાળવાળી અટવીની ઉપમા આપી શકાય. આ વિપત્તિરૂપ અટવીને કાપી નાખવા માટે યોગને તીક્ષણ પરશુ યા કુહાડાની ઉપમા લાયક છે. અર્થાત્ કુહાડાથી ગમે તેવા ગાઢ ઝાડીવાળા અરણ્યને પણ કાપી શકાય છે.
બીજી ઉપમા વશીકરણની છે. વિષય સુખના લાલચુ એંને સ્વાધિન કરવા માટે મંત્ર-તંત્ર અને જડીબુટ્ટીની સેવા કરે છે. તેને આચાર્યશ્રી કહે છે કે આ ક્ષણિક પણ મહા દુખ આપનાર