SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્ર બનાવવાનો આધાર આ દુનિયાનાં પામર પ્રાણીઓ પિતાનું બુરું કરનારનું બનતા પ્રયત્ન બુરું કરે છે અને અશક્ત હોય તે મનથી તે ખરાબ ચિંતન કરે છે જ. પણ આ યોગની સ્થિતિ કઈ જુદા જ પ્રકારની છે. સંસારની સ્થિતિ સામે આ સ્થિતિને મુકાબલે તે ન જ કરી શકાય. કારણ કે સંસારના રસ્તાથી ત્યાગીઓને (ગીઓને) રસ્તે જુદો જ હોય છે અને તેને લઈને જ આ મહાત્મામાં આટલી કેમળતા યા કૃપાળુતા હતી. નહિતર આ વખતે તેમની પાસે એટલી બધી પ્રબળ શક્તિઓ વેગથી પ્રાપ્ત થએલી હતી કે એક દેવ તે શું પણ તેવા હજારેને હઠાવવાનું સામર્થ્ય તેમનામાં હતું, પણ યુગના અંગે ભેગીએ તેવું સામર્થ્ય કઈ પણ વખત આ દુનિયાના પામર ઉપર ફેરવતા નથી.” આવા ધ્યાનગુણથી આકર્ષાઈ આ ગ્રંથકારે ગ્રંથની આદિમાં તે યોગગર્ભિત મહાપુરુષના શુભ ચરિત્ર સૂચક સ્તુતિ કરી છે, કે જેગિક સ્થિતિમાં આવવું હોય તે આ મહાન પુરુષના ચરિત્રનું અનુકરણ કરે ૩. (ગશાસ્ત્ર બનાવવાને આધાર) श्रुताम्भोधेरधिगम्य, सम्प्रदायाच सद्गुरोः । स्वसंवेदनतश्चापि, योगशास्त्रं विरच्यते ॥४॥ સિદ્ધાંતરૂપ સમુદ્રમાંથી કેટલાક ભાગ લઈને, કેટલોક ભાગ સદગુરુની પરંપરાથી મેળવીને અને કેટલેક ભાગ મને પિતાને જે અનુભવ થયો છે તે, એમ ત્રણે આધાર મેળવીને આ યોગશાસ્ત્ર બનાવું છું. ૪. વિવેચન–આ લેક ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે આચાર્યશ્રી પોતે યુગના અનુભવી હતા. જે તેમ ન હતા તે સ્વસંવેદન” મારા પિતાને જાતિ અનુભવથી પણ હું કાંઈક લખીશ, તેમ ન લખતાં ઉપરના બે જ આધાર બતાવત. છેલ્લે પ્રકાશ આચાર્યશ્રીને અનુભવને છે. તેમાં ઘણું સમજવાનું છે. પણ જ્ઞાની
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy