SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ ભેદક શબ્દોથી વનના પશુઓ પણ સ્તંભાઈ જવા લાગ્યાં. મેઘની ગર્જના સરખા મૃદંગના શબ્દો અથડાવા લાગ્યા. આટલેથી જ તે દેવની બનાવેલી દેવાંગનાઓ શાંત ન રહી. તેઓ આગળ વધી સ્ત્રીજનેને સુલભ પિતાને વિકાર પ્રગટ કરવા લાગી. હાવભાવ કરવા શરૂ કર્યા નિર્લજ પણે નિતંબ અને સ્તનાદિકના ભાગો ખુલ્લા કરવા લાગી. ટુંકામાં તેઓમાં જેટલું સામર્થ્ય હતું તે સર્વ સામર્થ્ય આ શ્રમણદેવને ચલાયમાન કરવાને વાપરી ચૂકી; પણ પાણી ઉપર થતા પ્રહારની માફક તે સર્વ નિષ્ફળ ગયું. તે દેવને ખબર હતી કે, આ શ્રમણ દેવને જ્ઞાનદશા જાગૃત થઈ છે, પાછલા જન્મે અનેક જોયા છે, આજ સુધીના ભગવેલા સાંસારિક સુખનું પરિણામ દુઃખદ જ આવ્યું છે અને ખરૂં સુખ તે જુદું જ છે, એ જેના રોમરોમમાં પરિણમી ગયું છે અને આત્માનંદને સુખને અનુભવ કરી શક્યા છે, તેને સુખની આગળ આ સુખ બિંદુ તુલ્ય પણ નથી.” આ પ્રમાણે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો સંગમદેવે એક દિવસ નહિ, પણ છ માસ સુધી કર્યા, આખરમાં દેવ થાક્ય. ઇંદ્રનું કહેવું સત્ય જ થયું. ખરેખર આ તે કેઈ અલૌકિક મહાપુરુષ જ નીકળે. હવે આને ચલાયમાન કરવા માટે મારે જે જે મહેનત કરવી તે તે નિરર્થક જ છે. આમ વિચાર કરી પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી ચાલતા થયે. આ દેવના જવા પછી શ્રમણ ભગવાન વિચારવા લાગ્યા કે “અહો નિષ્કારણ બીજા જીવને દુઃખ આપનાર આ જીવની ગતિ ખરાબ થશે. મારા જેવા છો કે જેને બીજા જીવોનું હિત કરવાનું છે કે દુઃખથી મુક્ત કરવાનું છે, તેવામાં પણ તે જીવોના કૂર આચરણેથી તેનું હિત કરી શકતા નથી. મારા મનમાં એ જ લાગી આવે છે કે મારા તરફથી તેનું હિત થવું જોઈએ પણ તે ન થતાં મને દુઃખ આપવાના તેના ક્રૂર અધ્યવસાયે એ ઉલટ તે કર્મબંધિત થયું છે. ખરેખર તેનું હું આ અવસરે કાંઈ પણ હિત ન કરી શકો.” આમ વિચાર કરતાં તે કૃપાળુ દેવની આંખમાં અશ્રુ ઉભરાવા લાગ્યાં.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy