SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરદેવની કરૂણા - આ ઈરાદાથી એક વિમાન તૈયાર કરી, દેવ-દેવીઓ બનાવી વિમાનમાં બેસી, મહાવીરદેવ પાસે આવી કહેવા લાગ્યા કે “હે શ્રમણ! આ તમારી બૈર્યતા અને તપશ્ચર્યા જોઈ હું પ્રસન્ન થાઉં છું. ચાલે, આ વિમાનમાં બેસે. તમને તમારા ઈચ્છિત પ્રમાણે દેવલોકમાં લઈ જાઉં. તપશ્ચર્યા કરીને જે સાધવા માગો છો, તે હું તમને આપું છું.” ખરેખર મેહનિદ્રાથી નિદ્રિત થએલા અને ક્ષણિક તથા માયિક સુખમાં સુખ માનનારા અને આ પુગલિક સુખે સુખરૂપ ભાસે છે. છતાં જ્ઞાનીઓ આ સુખને સુખરૂપે માનતા નથી, એટલું જ નહિ પણ આગામી કાળે દુઃખ આપનાર લેવાથી તેને વર્તમાનમાં પણ દુખ રૂપે માને છે. એ મહાશય જેને માટે તપશ્ચર્યા કરે છે, જેને માટે આ સંસારને ત્યાગ કરી આત્મરમણ કરે છે, જંગલમાં વિવિધ પ્રકારનાં કણો સહન કરે છે, આભે પગની જાગૃતિમાં અપ્રમાદિત રહી પ્રયત્ન કરે છે તે આ દુનિયાના સુખ માટે નહિ, દેવના સુખ માટે નહિ, ઇંદ્રના સુખ માટે નહિ, પરંતુ કર્મના અભાવથી ઉત્પન્ન થતા આત્મિક સુખ માટે જ હતું, તેની આ ઐહિક સુખની લાલસાવાળા દેવને ખબર ન પડી અને તેથી જ આવા સંગિક *-વિગિક સુખની પ્રેરણા કરે છે. આ તેની પ્રાર્થના નિષ્ફળ ગઈ. ‘મહાવીરદેવે તે અંગીકાર તે ન કર્યુંપણ તેની સામું પણ ન જોયું. ' . દેવ નિરાશ થયા. હવે કયે માર્ગ લે કે ધ્યાનાવસ્થા મૂકી દઈ આ શ્રમણ મારા કહ્યા મુજબ ચાલે. વિચાર કરતાં દેવને જણાઈ આવ્યું કે દુનિયામાં સ્ત્રી સિવાય બીજું કોઈ શસ્ત્ર વિરપુરુષને પરા' “ભવ કરનાર નથી. આ ઈરાદાથી તેણે કેટલીક દિવ્ય સ્વરૂપ નવયૌવના - મેહક સુંદરીઓ-અપ્સરાઓ બનાવી. તેની સાથે કામને ઉત્તેજીત કરનારી ષડૂછતુએ એકી સાથે વિકુર્થી. કદમ્બાદિ પુષ્પને પરાગ ચારે દિશાએથી છુટવા લાગે. મંદમંદ વાયુ ફરકવા લાગ્યા. કેયલના શબ્દોથી વનનાં ભાગે શષ્ઠિત થયા. આ બાજુ દેવાંગનાઓએ મધુર સંગીત શરૂ કર્યું. ગાંધાર, મલહાર અને માલકેષાદિ અનેક મધુર અને મોહક સ્વરે વિસ્તરવા લાગ્યા. વીણાઓના ઝીણું પણ હૃદય
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy