________________
ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ પણ અધિક પ્રસંગોમાં પણ તે મહાશયે સમભાવ જ રાખ્યું હતું, અને તેથી જ પરિપૂર્ણ જ્ઞાન મેળવી મોક્ષપદને પ્રાપ્ત થયા છે.” એ તેમના અતિશાયી ગુણને શાસ્ત્રકાર યાદ કરીને ગ્રંથની આદિમાં નમસ્કાર કરે છે.
મહાવીરદેવની કરૂણું कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः ।। ईषद्बाष्पायोभद्रं, श्रीवीरजिननेत्रयोः ॥ ३ ॥
અપરાધ કરવાવાળા જ ઉપર પણ દયાથી નમ્ર અને અશ્રુથી આ એવાં શ્રી વીર પરમાત્માના નેત્રેનું કલ્યાણ થાઓ. ૩
વિવેચન-અંતરંગ મહાન કરૂણું યા કયાસૂચક આ બનાવ એ બન્યું છે કે, તે મહાવીરદેવની અપરાધી ઉપર પણ અગાધ કરૂણાને સૂચવી અત્યારની સબળ પણ આત્મભાવમાં નિર્બલ પ્રજાને આશ્ચર્યના વમળમાં નાંખે છે. વૈરાગ્યવાસના થી ભરપૂર મહાવિરદેવે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી, નિવૃત્તિ માર્ગ મેળવવા માટે શ્રમણ માર્ગ સ્વીકારી, આ પૃથ્વીતળ ઉપર વિચરતાં એક વખત ઘણું મ્યુચછ લોકોથી ભરપૂર દઢ ભૂમિમાં આવ્યા. અઠમની તપશ્ચર્યા કરી, પેઢાલ ગામની પાસે પેઢાલ નામના વનમાં રહેલ પિલાસ નામના દેવળમાં કાયોત્સર્ગ કરી ધ્યાનસ્થ રહ્યો.
એ અવસરે સૌધર્મ દેવલોકની સુધર્મા નામની સભામાં સૌધમેં દેના પરિવાર સહિત બેઠા હતા. વિસ્તારવાળા અવધિજ્ઞાનથી પૃથવીતલ ઉપર અવકન કરતાં તે ઇંદ્ર શ્રમણ ભગવાનને પેઢાળ વનમાં જોયા. આ અવસરે મહાવીરદેવને પરિપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થયું નહેતું, પણ તે પરિપૂર્ણ જ્ઞાનોત્પત્તિ કર્મક્ષયથી થાય છે અને તે કર્મક્ષય ધ્યાન સાધ્ય છે, માટે કર્મક્ષય કરવા તે ધ્યાનાવસ્થામાં નિમગ્ન રહેલા હતા. આ સ્થિતિમાં મહાવીરદેવને જોઈ ઈંદ્ર ત્યાં જ રહી નમસ્કાર કર્યો, કારણકે વિવેકી જે સામાન્ય રીતે પણ સમજી શકે