________________
ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ મારી દૂર નાસવા લાગ્યો. પણ આ સાહસિક મહાપુરુષ તે તેના હસવાથી બીલકુલ વ્યાકુળ ન થતાં ત્યાં જ સ્થિરપણે ધ્યાનસ્થ રહ્યા. સર્પ જ્યારે ડંસ આપીને થાક્યો ત્યારે કરૂણાસમુદ્ર આ મહાત્માએ તેને બોલાવ્યું કે “હે ચંડકૌશિક! પ્રતિબંધ પામ, પ્રતિબંધ પામ. તારા પૂર્વ જન્મને યાદ કર. ગત જન્મના ક્રોધાવેશને ફલરૂપે આ તિય“ચપણું અને તેમાં પણ હજારો જીવેને ત્રાસ આપનાર આ સપપણું તું પામ્યો છે જે ચારિત્ર અને જે તપશ્ચર્યાનું ફલ મોક્ષ મળવું જોઈએ, તે ચારિત્ર તથા તપને કોધથી દૂષિત કરતાં આવા મહાન અધમ જન્મને તું પામ્યો છે અને આ જન્મમાં પણ વા ક્રોધથી હજારે જેને સંહાર કરી મહાન દુર્ગતિ પામીશ, માટે હવે તે ચેત.”
મહાત્માના મુખથી નીકળતાં આ વચનામૃતનું પાન કરતાં તે સર્ષ સ્તબ્ધ થઈ ગયા. તેમના ગની પ્રભા એટલી બધી તેના ઉપર પડી, કે એક ડગલા જેટલું પણ તે દૂર ખસી ન શક્યો અને વિચારના વમળમાં પડ્યો કે “આ મહાત્મા કેણુ? તેઓ મને શું કહેવા માગે છે? મેં આવા મહાત્માઓને કેઈ પણ ઠેકાણે કઈ પણ વખતે જોયા છે! મને તે યાદ નથી આવતું તે પણ આવા મહાપુરુષોની સેબતમાં હું પૂર્વે આ છું.” આમ વિચાર કરતાં તે શરીરનું ભાન ભૂલી ગયે, તેની ઇંદ્રિયોના વ્યાપાર બંધ પડી ગયા. આજુબાજુ શું થાય છે તેનું ભાન તેને ન રહ્યું અને એકાગ્ર થઈ ગયો. તે એકાગ્રતામાં સ્થિર થતાં પૂર્વ જન્મમાં સંસ્કારને રોકનાર (આડે આવનાર) કર્મને પડદો તૂટી ગયો અને કર્મને પડદો તૂટતાં તેને ગયા જન્મનું જ્ઞાન થઈ આવ્યું. તાપસને અને જેનસાધુપણાને પાછલે જન્મ જોયે. હવે તેને પશ્ચાત્તાપનો પાર ન રહ્યો. “અ ધિક્કાર છે મને! એક ક્રોધને લઈને મારી આવી અધમ સ્થિતિ થઈ. પૂર્વે મેં તપશ્ચર્યા ઘણુ કરી, તપસ્યાને પારણે ગૃહસ્થને ઘેર આહાર લેવા જતાં એક દેડકી પગ નીચે ચગદાઈ મરણ પામી. શિષ્ય સંભારી આપી. મે માન્ય ન કર્યું. ફરી શિષ્ય ઉપાશ્રયે આવ્યા બાદ સંભારી આપી.