________________
મહાવીરદેવની સમદષ્ટિ સંહાર કરનાર આ સર્ષ મારાથી પ્રતિબોધ પામે તે તેને ડંસથી મને થએલું દુઃખ એ અલ્પ જ છે. મારા એક જીવને કષ્ટ થતાં પણ અનેક જીવોને ઉપકાર થાય તે તે કરવામાં મને કાંઈ દુઃખ નથી. જ્ઞાન દષ્ટિથી જોતાં મને જણાઈ આવે છે કે, આ સર્ષ પૂર્વે એક તપસ્વી સાધુ હતું. કોઈની તીવ્રતાથી કરેલી મહાન તપશ્ચર્યાનું ફળ તે પામી શક્યો નથી. “ખરેખર સમભાવ અને સમ્યજ્ઞાનના અભાવે આવી મહાન તપશ્ચર્યાનું પરિણામ આવું દુઃખદાયક જ આવે છે.” અવશ્ય તે મારાથી પ્રતિબંધ પામશે. પણ તેને પ્રતિબોધતાં મને પણ કષ્ટ સહેવું પડશે. આ નિર્ણય કરી શ્રમણ ભગવાન તે જ રસ્તે ચાલ્યા. કેટલાક વખતથી તે રસ્તે બંધ હતું, તેથી રસ્તામાં ઘાસ ઉગી નીકળ્યું હતું. જીર્ણ પત્રથી રસ્તાને દેખાવ ઢંકાઈ ગયો હતે. ઠેકાણે ઠેકાણે કાંટાવાળાં નાનાં ઝાડો અને ધૂળથી વૃદ્ધિ પામેલા રાફડા જોવામાં આવતા હતા. તેટલામાં એક જીર્ણ અવસ્થાએ પહોંચેલું યક્ષનું મંદિર જોવામાં આવ્યું, તે જીર્ણ મંદિરના મંડપમાં ઉભા રહી નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થાપન કરી કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે તે પ્રભુ રહ્યા. નજીકમાં રહેલ બિલથી નીકળી પેલ સર્ષ ફરતા ફરતે ત્યાં આવ્યો. જે વનમાં જનાવરો પણ મારા હાયથી પ્રવેશ નથી કરી શકતા, તે વનમાં નિર્ભયપણે મારી અવજ્ઞા કરી આ કેણ ઉભે છે, તેમ સર્પ વિચાર કરવા લાગ્યો અને ક્રોધાવેશથી ઝેરની જવાળાને વમતી અને આસપાસના વૃક્ષોને પણ ઝેરથી વાસિત કરતી દષ્ટિ પ્રભુના ઉપર ફેકી. કેટલીકવાર સન્મુખ જોયું પણ તેની દષ્ટિના ઝેરની અસર તે મહાત્માના ઉપર ન થઈ ત્યારે સૂર્ય સામી દષ્ટિ કરી કાંઈક વિશેષ ઝેરથી ભરેલી દષ્ટિએ પ્રભુ સામું જોયું, પણ તેને તે પ્રયાસ નિરર્થક ગ. આમિક ગની પ્રબળતાથી ઝેરની અસર પ્રભુના ઉપર ન થઈ. ખરેખર આવે ઠેકાણે તે મહાત્માને ચોગની સત્યતાની કટી થઈ, પણ તે સપ પોતાના નિશ્ચયમાં કો નહિ, નજીક આવી પગના ઉપર ડંસ મારવા લાગ્યું અને ઝેરથી વ્યાપ્ત થતાં આ પુરુષ મારા ઉપર પડશે એવા ભ્રમથી હંસ