SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ પ્રથમ અભ્યાસીઓને શરૂઆતમાં એકાગ્રતા કરવામાં જેટલી મહેનત પડે છે, તેટલી મહેનત બીજી કઈ પણ જાતની ક્રિયામાં પડતી નથી. આ કિયા ઘણી મહેનત આપનાર અને દુઃખરૂપ લાગે છે, પરંતુ આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યા વિના બીજે કઈ ઉપાય જ નથી. તે સિવાય આગળ વધી શકાય જ નહિ. માટે પ્રબળ પ્રયત્ન પણ એકાગ્રતા સિદ્ધ કરવી જ જોઈએ. - - એકાગ્રતા કરવાની રીતિ અને ઉપયોગી સૂચના મનની અંદર ઉત્પન્ન થતા વિકલ્પની અવગણના કરવી. તેમજ તેને મનથી કાંઈ ઉત્તર વાળ નહિ. આ બે વાતે બુદ્ધિ તીક્ષણ કરી વારંવાર સ્મરણમાં રાખવી. અભ્યાસ ચાલતી વખતે તે એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ. જ્યારે કાંઈ પણ ઉત્તર વાળવામાં નથી આવતે અને અભ્યાસ દેઢ થાય છે, ત્યારે વિચારની પ્રત્યુત્તર વાળવાની વૃત્તિઓ શાંત થાય છે. એકાગ્રતામાં પૂર્ણ શામ્ય અવસ્થાની જરૂર છે. અર્થાત્ વિક ઉત્પન્ન ન થવા દેવા, તેમ તેને હડસેલવાને પ્રયત્ન પણ ન કરે,-અર્થાત્ સ્થિર શાંતતા રાખવી.-તે શાંતતા એટલી પ્રબળ થવી જોઈએ કે બાહાના કેઈ પણ નિમિત્તથી ચાલતા વિષય સિવાય મનનું પરિણામાંતર યા વિષયાંતર ન જ થવું જોઈએ. તેમ અમુક વિકલ્પને રેક છે તેવું પરિણમન પણ ન થવું જોઈએ. એકાગ્રતામાં યેયની એક આકૃતિ ઉપર જ કે એક વિચાર ઉપર જ મન સ્થિર થાય છે. વસ્તુગતે તપાસતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શત થતી નથી, પણ પોતાની સમગ્ર શક્તિ એક જ માગે વહન કરાવાય છે. | નદીના અનેક જુદા જુદા વહન થતા પ્રવાહ, પ્રવાહના મૂળ બળને જુદા જુદા ભાગમાં વહેંચી નાખે છે, અને તેથી પ્રવાહના મૂળ બળને નેસથી જે પ્રબળ કાર્ય થાય છે, તે પ્રવાહની જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયેલી શક્તિથી થતું નથી. તેમજ એકાગ્રતાથી એક જ પ્રવાહ વહન થતું અને તેથી મજબુત થયેલું પ્રબળ
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy