________________
દ્વાદશ પ્રકાશ
આચાર્યશ્રીને સ્વાનુભાવ श्रुतसिन्धोर्गुरुमुखतो यदधिगतं तदिह दर्शितं सम्यक् । अनुभवसिद्धमिदानी प्रकाश्यते तत्त्वमिदममलम् ॥ १ ॥
સિદ્ધાંતરૂપ સમુદ્રથી અને ગુરુમુખથી ર્યોગ સંબંધી જે કાંઈ મેં જાણ્યું હતું કે, અહીં પૂર્વના અગીયાર પ્રકાશમાં સારી રીતે દેખાડયું. હવે મને પિતાને વેગ સંબંધી જે કાંઈ અનુભવ સિદ્ધ થયું છે કે, આ નિર્મળ તત્ત્વને પ્રકાશિત કરું છું. ૧. | (ાગને સર્વ આધાર મન ઉપર છે. મનની અવસ્થાએ જાણ્યા સિવાય અને તેને ઉશ્ય સ્થિતિમાં મૂક્યા સિવાય, વૈગમાં પ્રવેશ થઈ શકતું નથી, માટે આચાર્યશ્રી પ્રથમ મનની સ્થિતિને ભેદ બતાવે છે.)
મનના ભેદો इह विक्षिप्तं यातायातं श्लिष्टं तथा सुलीनं च ।
चेतश्चतुःप्रकारं तज्ज्ञचमत्कारकारि भवेत् ॥ २ ॥
૧. વિક્ષિત, ૨. યાતાયાત, ૩. ક્લિષ્ટ, ૪ સુલીન એમ ચાર પ્રકારવાળું ચિત્ત, તેના જાણકાર માનીને તે ચમત્કાર કરવાવાળું થાય છે. ૨.
મનનાં લક્ષણે विक्षिप्त चलमिष्टं यातायातं च किमपि सानन्दम् । प्रथमाभ्यासे द्वयमपि विकल्पविषयग्रहं तत्स्यात् ॥३॥
વિક્ષિપ્ત મનને ચપલતા ઈષ્ટ છે અને યાતાયાત મન કાંઈક પણ આનંદવાળું છે. પ્રથમ અભ્યાસમાં આ બેઉ જાતનાં મને હેય છે અને તેમને વિષય વિકલ્પને ગ્રહણ કરવાને છે. ૩.