________________
૩૭૭
મેક્ષમાં ગયેલા યોગી સાદિઅનત છે. તે સ્થિતિ પામ્યાની આદિ છે પણ અંત નથી. અંત ત્યારે કહી શકાય કે તે સ્થિતિમાંથી નીચા પડવાપણું હોય. એટલે આ સ્થિતિ સાદિ અનંત છે. તેમજ અનુપમ છે. એટલે આ સ્થિતિને કઈ પણ ઉપમા આપી શકાતી નથી. ઉપમા ન આપવાનું કારણ, તેવી સર્વોત્કૃષ્ટ સ્થિતિને દુનિયામાં અભાવ છે. દુનિયામાં જે જે સ્થિતિનો અનુભવ આ દેહદ્વારા થાય છે તે સર્વ સ્થિતિઓ વિયોગશીલ છે. દેહ પોતે પણ વિશરણ સ્વભાવવાળો છે. એટલે તેનાથી ઉત્પન્ન થતાં સુખને સુખની ઉપમા કેમ આપી શકાય?
વળી આ સુખ કેવળ આત્મસ્વભાવથી ઉત્પન્ન થયેલું અને કેઈપણ જાતના સુખની ઉપમાથી અતિત છે.
તે સમાધિસુખ અવ્યાબાધ એટલે કે ઈ પણ પ્રકારની કાયિક કે માનસિક પીડા વિનાનું છે. જ્યાં શરીર અને મન છે ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ અનેક પ્રકારની લાગી પડે છે. તેમ આ મુક્તામાને શરીરાદિ સર્વ ઉપાધિને અભાવ હોવાથી તેવી કોઈ પણ પ્રકારની વ્યાબાધા છે જ નહિ. ત્યારે કેવળ આત્મસ્વભાવનું જ સુખ હોવાથી તે પરમ સુખ છે. તે સુખમાં યા તે આત્મસ્વભાવમાં મુક્તાત્મા મગ્ન રહે છે, તે પરિપૂર્ણ સમાધિ છે.
આ દેહમાં રહી અનેક પ્રકારની સમાધિઓ થઈ શકે છે, તેવું અન્ય દર્શનકાર કહે છે. તે સર્વ સમાધિઓને સમાવેશ ધ્યાનમાં જ થઈ શકે છે. જિનેશ્વરોએ બતાવેલ ધ્યાન અને અન્ય દર્શનકારોએ બતાવેલી સમાધિને મુકાબલે જે આપસમાં કરવામાં આવે તે આ વાતની ખાત્રી અભ્યાસીઓને સહજ થઈ શકશે. આ પ્રમાણે ગના સર્વ અંગેની અહીં સમાપ્તિ થાય છે. इति श्री आचार्य हेमचन्द्र विरचिते योगशास्त्रे मुनि श्री केशर
विजय गणि कृत बालावबोधे एकादशः प्रकाशः