SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ મનનાં લક્ષણે ૩૭૮ વિવેચન–પ્રથમ અભ્યાસી જ્યારે અભ્યાસ શરૂ કરે છે ત્યારે મનમાં અનેક જાતના વિક્ષેપો આવ્યા કરે છે. મન ઠરતું નથી અને ચપળતા કર્યા જ કરે છે. પણ આથી અભ્યાસીએ કાંઈ નાસીપાસ થવાનું નથી. એક હરિણુ જ્યારે પાસમાં સપડાય છે ત્યારે તે એટલી બધી છૂટવા માટે દોડાદોડ કરી મૂકે છે કે હદ ઉપરાંત, જાણે છૂટયું કે છૂટશે. આ હરિની દોડધામ જોઈ પાસવાળો નિશશ થઈ ખાસ મૂકી દે તે અવશ્ય છૂટી જાય. પણ જે મજબુતાઈ કરી તેને દડાદોડ કરવા આપે તે તે થાકી થાકીને દોડવાની ક્રિયા મૂકી દઈ સ્વાધીન થઈ જશે. તેવી જ રીતે પ્રથમ અભ્યાસી, મનની આવી ચપળતા અને વિક્ષેપતા જેઈ નિરાશ થઈ જાય અને પોતાને અભ્યાસ મૂકી દે તે મન છૂટી જશે. પછી કદી સ્વાધીન ન થશે. પણ હિમ્મત રાખીને પોતાનો અભ્યાસ આગળ વધારશે તે ઘણું ચ૫ળતા અને વિક્ષેપતાવાળું પણ મન શાંત થઈ સ્વાધીન થઈ રહેશે. પહેલી વિક્ષિસ દશા ઓળંગ્યા પછી બીજી યાતાયાત દશા મનની છે. યાતાયાત એટલું જવું અને આવવું. જરા વાર મન સ્થિર રહે, વળી ચાલ્યું જાય, અર્થાત્ વિકલ્પ આવી જાય. વળી સમજાવી યા ઉપગથી સ્થિર કર્યું, વળી ચાલ્યું જાય, આ યાતાયાત અવસ્થા છે. પહેલી કરતાં બીજી દશા શ્રેષ્ઠ છે અને તેમાં કાંઈક પણ આનંદને અંશ રહેલો છે, કારણ કે જેટલીવાર સ્થિર હોય તેટલીવાર તે આનંદ મેળવે છે. ૩. श्लिष्टं स्थिरसानन्दं सुलीनमतिनिश्चलं परानन्दम् । तन्मात्रकविषयग्रहमुभयमपि बुधैस्तदानातम् ॥ ४ ॥ શ્લિષ્ટ નામની મનની ત્રીજી અવસ્થા, સ્થિરતા અને આનંદવાળી છે. તથા સુલિન નામની ચોથી અવસ્થા, નિશ્ચલ અને પરમાનંદવાળી છે. જેવાં નામ છે તેવા જ તેના ગુણે છે અને તે જ તે બેઉ મનેને ગ્રહણ કરવાનો વિષય છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. ૪.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy