________________
શુક્લ યાન કોને કહે છે.'
ઘાતિકર્મના ક્ષયથી થતું ફળ संप्राप्य केवलज्ञानदर्शने दुर्लभे ततो योगी । जानाति पश्यति तथा लोकालोकं यथावस्थम् ॥ २३ ॥
ઘાતિકર્મના ક્ષય થવાથી, યેગી દુઃખે પામી શકાય તેવાં કેવલજ્ઞાન અને કેવળદર્શન પામી યથાવસ્થિત લોકાલોકને જાણે છે અને જુવે છે. ૨૩. '
देवस्तदा स भगवान् सर्वज्ञः सर्वदयनन्तगुणः । विहरत्यवनीवलयं सुरासुरनरोरगैः प्रणतः ॥ २४ ॥
કેવલજ્ઞાન પામવા પછી સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત ગુણવાનું સુર, અસુર, મનુષ્ય અને નાગૅદ્રાદિથી પ્રણામ કરાતા, તે ભગવાન પૃથ્વીતળ ઉપર (દુનિયાના જીને) બોધ કરવા માટે વિચારે છે ૨૪.
वाग्ज्योत्स्नयाऽखिलान्यपि विबोधयति भव्यजन्तुकुमुदानि । उन्मूलयति क्षणतो मिथ्यात्वं द्रव्यभावगतम् ॥ २५ ॥
વળી વચનરૂપ ચંદ્રની ચાંદનીએ કરી, સમગ્ર ભવ્ય જીવો પર કુમુદોને (ચંદ્રવિકાશી કમળાને) બંધિત કરે છે, અને તેની અંદર રહેલા દ્રવ્ય, ભાવ, મિથ્યાત્વને ( અંધકારને) ક્ષણ માત્રમાં મૂળથી કાઢી નાંખે છે. ૨૫. .
तमामग्रहमात्रादनादिसंसारसंभवं दुःखम् । भव्यात्मनामशेष परिक्षयं याति सहसैवः ।। २६॥
તે સર્વજ્ઞ તીર્થંકરનું ફક્ત નામ ગ્રહણ કરવાથી, ભવ્ય જીનાં અનાદિ સંસારથી ઉત્પન્ન થએલા સમગ્ર દુઃખ સહસા નાશ પામે છે.
अपि कोटीशतसङ्ख्याः समुपासितुमागताः सुरनराद्याः । । क्षेत्रे योजनमात्रे मान्ति तदाऽस्य प्रभावेन ॥२७॥
તે પરમેશ્વરની ઉપાસના કરવા માટે, સેંકડો કોડ ગામે આવેલા દેવ, મનુષ્યાદિ, એક યોજન માત્ર ક્ષેત્રમાં તેને પ્રભાવથી સમાઈ શકે છે. ૨૭