SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્લ યાન કોને કહે છે.' ઘાતિકર્મના ક્ષયથી થતું ફળ संप्राप्य केवलज्ञानदर्शने दुर्लभे ततो योगी । जानाति पश्यति तथा लोकालोकं यथावस्थम् ॥ २३ ॥ ઘાતિકર્મના ક્ષય થવાથી, યેગી દુઃખે પામી શકાય તેવાં કેવલજ્ઞાન અને કેવળદર્શન પામી યથાવસ્થિત લોકાલોકને જાણે છે અને જુવે છે. ૨૩. ' देवस्तदा स भगवान् सर्वज्ञः सर्वदयनन्तगुणः । विहरत्यवनीवलयं सुरासुरनरोरगैः प्रणतः ॥ २४ ॥ કેવલજ્ઞાન પામવા પછી સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત ગુણવાનું સુર, અસુર, મનુષ્ય અને નાગૅદ્રાદિથી પ્રણામ કરાતા, તે ભગવાન પૃથ્વીતળ ઉપર (દુનિયાના જીને) બોધ કરવા માટે વિચારે છે ૨૪. वाग्ज्योत्स्नयाऽखिलान्यपि विबोधयति भव्यजन्तुकुमुदानि । उन्मूलयति क्षणतो मिथ्यात्वं द्रव्यभावगतम् ॥ २५ ॥ વળી વચનરૂપ ચંદ્રની ચાંદનીએ કરી, સમગ્ર ભવ્ય જીવો પર કુમુદોને (ચંદ્રવિકાશી કમળાને) બંધિત કરે છે, અને તેની અંદર રહેલા દ્રવ્ય, ભાવ, મિથ્યાત્વને ( અંધકારને) ક્ષણ માત્રમાં મૂળથી કાઢી નાંખે છે. ૨૫. . तमामग्रहमात्रादनादिसंसारसंभवं दुःखम् । भव्यात्मनामशेष परिक्षयं याति सहसैवः ।। २६॥ તે સર્વજ્ઞ તીર્થંકરનું ફક્ત નામ ગ્રહણ કરવાથી, ભવ્ય જીનાં અનાદિ સંસારથી ઉત્પન્ન થએલા સમગ્ર દુઃખ સહસા નાશ પામે છે. अपि कोटीशतसङ्ख्याः समुपासितुमागताः सुरनराद्याः । । क्षेत्रे योजनमात्रे मान्ति तदाऽस्य प्रभावेन ॥२७॥ તે પરમેશ્વરની ઉપાસના કરવા માટે, સેંકડો કોડ ગામે આવેલા દેવ, મનુષ્યાદિ, એક યોજન માત્ર ક્ષેત્રમાં તેને પ્રભાવથી સમાઈ શકે છે. ૨૭
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy