SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ उत्पादस्थितिभङ्गादिपर्ययाणां यदेकयोगः सन् । . ध्यायति पर्ययमेकं तत्स्यादेकत्वमविचारम् ॥ १८ ॥ એક સેગવાળો થઈ ઉત્પાદ, સ્થિતિ અને વ્યયાદિ પર્યાયે તેના એક પર્યાયનું ધ્યાન કરે તે એકત્વઅવિચાર ધ્યાન કહેવાય. ૧૮. त्रिजगद्विषयं ध्यानादणुसंस्थं धारयेत् क्रमेण मनः । विषमिव सर्वांगगतं मन्त्रबलान्मान्त्रिको देशे ॥ १९॥ આખા શરીરમાં વ્યાપ્ત થએલા વિષને જેમ મંત્રના બળથી મંત્રવાદિ દંશમાં લાવી મૂકે છે, તેમ ત્રણ જગના વિષયવાળા મનને, ધ્યાને કરી અણુ (પરમાણુ) ઉપર ભેગીઓએ ધારણ કરવું. ૧૯ अपसारितेन्धनभरः शेषः स्तोकेन्धनोऽनलो ज्वलितः । तस्मादपनीतो वा निर्वाति यथा मनस्तद्वत् ॥ २० ॥ લાકડાં ન નાંખવાથી, અથવા અગ્નિમાંથી લાકડાં ખેંચી લેવાથી, બાકીનાં શેડાં ઇધણુવાળ બળતો અગ્નિ બુઝાઈ જાય છે, તેની જેમ મનને પણ વિષયરૂપ લાકડાં ન મળવાથી પિતાની મેળે શાંત થઈ જાય છે. ૨૦. ' , શુકલધ્યાનના બીજા ભેદનું ફળ ज्वलति ततश्च ध्यानज्वलने भृशमुज्ज्वले यतीन्द्रस्य । निखिलानि विलीयन्ते क्षणमात्राद् घातिकर्माणि ॥२१॥ પછી ધ્યાનરૂપ અગ્નિ, અત્યંત ઉત્કટ પણે પ્રજવલવાથી યોગીન્દ્રના સર્વ ઘાતિકર્મો ક્ષણ માત્રમાં નાશ પામે છે. ૨૧. તે ઘાતિક બતાવે છે ज्ञानावरणीय दृष्टयावरणीयं च मोहनीयं च । विलयं प्रयान्ति सहसा सहान्तरायेण कर्माणि ॥ २२॥ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, તે ત્રણે ચોથા અંતરાય કર્મની સાથે અકસ્માત્ વિલય થઈ જાય છે. ૨૨. .
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy