________________
ધર્મ ધ્યાનનું પારલૌકિક ફળ
૩૬૧ આ ચાર પ્રકારનાં ધ્યાનમાં, અત્યંત વૈરાગ્ય રસના સંગથી તરંગિત થએલા યોગીઓને, પિતે અનુભવ કરી શકે તેવું અતીન્દ્રિય (ઇદ્રિના વિષય વિનાનું) આત્મિક સુખ પ્રાપ્ત થાય છે.
ધર્મ યાનનું પારલૈકિક ફળ त्यक्तसङ्गास्तनुं त्यक्त्वा, धर्मध्यानेन योगिनः । ग्रैवेयकादिस्वर्गेषु, भवन्ति त्रिदशोत्तमाः ॥ १८ ॥ महामहिमसौभाग्यं, शरच्चन्द्रनिभप्रभम् । प्राप्नुवन्ति वपुस्तत्र, लग्भूषाम्बरभूषितम् ॥ १९ ॥ विशिष्टवीर्यबोधाढयं, कामार्तिज्वरवर्जितम् । निरन्तरायं सेवन्ते, सुखं चानुपम चिरम् ॥ २० ॥ इच्छासंपन्नसर्वार्थ-मनोहारि सुखामृतम् । निर्विघ्नमुपभुजाना, गतं जन्म न जानते ॥ २१ ॥
સર્વ સંગોને ત્યાગ કરી; ધર્મધ્યાનમાં શરીરને ત્યાગ કરનાર યોગીઓ, ગ્રેવેયક આદિ સ્વર્ગોમાં ઉત્તમ દેપણે ઉત્પન્ન થયા છે. ત્યાં મહાન મહિમા, મહાન સૌભાગ્ય, શરદ ઋતુના ચંદ્રની પ્રભા સમાન પુષ્પમાલા, આભૂષણ અને વસ્ત્રોથી વિભૂષિત શરીર પામે છે અને વિશિષ્ટ વીર્ય તથા જ્ઞાનયુક્ત, કામની પીડારૂપ જવર વિનાનું, ઉપમા રહિત અને અંતરાય વિનાનું સુખ ઘણું કાળ ભોગવે છે. ઈચ્છા થતાં જ સર્વ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. આ જ કારણથી મનને આનંદ આપનાર સુખરૂપ અમૃતને વિદન રહિત ભેગવતાં કેટલા કાળ ગયા તે પણ તેઓ જાણતા નથી. ૧૮ થી ૨૧. - વિવેચન-ધ્યાનની પરાકાષ્ટાએ નહિ પહોંચેલા સંસ્કારી ગીઓને, બાકી રહેલ કર્મો ખપાવવા દેવાદિક યોનિઓમાં જન્મ લેવા પડે છે. ત્યાં પૂર્વજન્મના સંસ્કારવાળા હોવાથી, પોતાની જાગૃતિ ભૂલાતી નથી, પણ પુણ્યની પ્રબળતાથી અનેક ઉત્તમ વિષયો મળી આવે છે, તેને અનુભવ કરી પાછા જન્મમાં આવે છે.