________________
૩૬૦
યોગશાસ્ત્ર ભાષાંતર-દશમ પ્રકાશ લેકધ્યાનનું ફળ नानाद्रव्यगतानन्त-पर्यायपरिवर्तने । सदा सक्तं मनो नैव, रागाद्याकुलतां व्रजेत् ॥ १५ ॥
આ લેક સ્વરૂપને વિચાર કરવાથી શું ફાયદો થાય? આમ શંકા કરનારને ઉત્તર આપે છે કે, અનેક દ્રવ્યામાં રહેલા અનંત પર્યાને પરાવર્તન કરવાથી ( દ્રવ્યગત પર્યાયના સંબંધમાં વિચાર કરવાથી) નિરંતર તેમાં આસક્ત થયેલું મન, રાગાદિ આકુળતા પામતું નથી. ૧૫.
વિવેચન-દ્રવ્યના ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંબંધિ વિચાર કરતાં વરાત્પત્તિ પણ સંભવે છે. કઈ પણ દ્રવ્યની આકૃતિ ઉપર મોહ યા રાગ હેય તે, તરતજ તેના ભાવિ વિનાશ ઉપર દૃષ્ટિ કરતાં મમત્વ ઓછો થાય છે. એક આકૃતિના વિનાશથી શેક થઈ આવ્યું હોય ત્યારે બીજી બાજુ ઉપર તેની સ્થિતિની હૈયાતી છે. આ વિચાર આવતાં, શેકમાં ફેરફાર અવશ્ય થઈ શકે છે. ત્યારે ઉત્પત્તિ, સ્થિતિ અને લયને ત્રણે ભાગો ઉપર દષ્ટિ રાખનારને હર્ષ કે શોક, રાગ કે દ્વેષ, એ માંહીલું કઈ પરાભવ કરી શકતું નથી, કારણ કે શરૂઆતથી જ તેની દષ્ટિ ત્રણે ભાગે ઉપર સરખી રહેલી છે. એ આદિ અનેક ફાયદાઓ લેકના કે દ્રવ્યના વિચારથી થાય છે.
धर्मध्याने भवेद्भावः, क्षायोपशमिकादिकः । એવા રામવિશુદ્વાર શુ, પતાવણીતા પુરા | ૨૬
ધર્મધ્યાન ક્ષયપશામક આદિ ભાવ હોય છે અને જેમ જેમ તે આગળ વધતું જાય તેમ તેમ અનુક્રમે પીત, પદ્ધ અને શુક્લ લેશ્યા વિશુદ્ધ વિશુદ્ધ હોય છે. ૧૬.
ધ્યાનનું ફળ . अस्मिनितान्तवैराग्य-व्यतिषङ्गतरङ्गिते । जायते देहिनां सौख्यं स्वसंवेद्यमतीन्द्रियम् ॥ १७ ॥