SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સસ્થાનવિચય ધ્યાન ૩૫૯ આ પ્રમાણે મૂલ કની પ્રકૃતિના અનેક વિપાકાને ભિન્ન ભિન્ન વિચારતાં, વિપાકવિચય નામનું ધર્મ ધ્યાન કહેવાય છે. સસ્થાનવિચય ધ્યાન अनाद्यन्तस्य लोकस्य स्थित्युत्पत्तिव्ययात्मनः । જ્ઞાતિ ચિન્તયવત્ર, સંસ્થાનવિષયઃ સ તુ ।। ૪ । 9 ઉત્પન્ન થવુ', સ્થિર રહેવુ' અને વિનાશ પામવું એ સ્વરૂપવાળા અનાદિ અનંત લેાકેાની આકૃતિનું જે ધ્યાનમાં ચિંતન કરવું, તે સંસ્થાનવિચય ધર્મધ્યાન કહેવાય છે. ૧૪. વિવેચન—આ દુનિયાના કોઈ પણ પદાર્થના દ્રવ્યથી નાશ થતા જ નથી. તેના પર્યાય બદલાયા કરે છે, એટલે તે દ્રવ્ય એક આકૃતિને મૂકી, બીજી આકૃતિમાં ગોઠવાઈ ગયુ'; પશુ તેથી મૂળ દ્રવ્યના નાશ થાય છે એમ તા ન જ કહી શકાય, દાખલા તરીકે એક લાંબુ લાકડુ` છે, તેની પેટી બનાવી. પેટી બની એટલે, લાકડાની જે લાંખી આકૃતિ હતી, તેના નાશ થયે, પેટીની ઉત્પત્તિ થઈ અને લાકડુ દ્રવ્ય તે તા પેટી બની તેા પણ કાયમ જ રહ્યું. આમ પેટીની ઉત્પત્તિ, · લાંખા લાકડાની આકૃતિના નાશ અને લાકડાપણાના દ્રવ્યનું કાયમ રહેવા પણુ, એમ એક એક વસ્તુ ત્રણ પ્રકારે અને છે. તેવીજ રીતે આ દુનિયાની સર્વ વસ્તુઓમાં બન્યા કરે છે, માટે જ વસ્તુત: દ્રવ્યાના નાશ નથી. ઉપર કહેવામાં આવ્યુ છે કે લાક દુનિયા અનાદિ, અન`ત છે, આદિ અંત વિનાની છે. એના એ જ આશય છે કે, દરેક વસ્તુએમાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણ બદલાયા કરે છે અને તેથી કેાઈ વસ્તુની સર્વથા આદિ (ઉત્પત્તિ ) અને સર્વથા વિનાશ કહી શકાય જ નહિ. આ ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યયરૂપ લેાકની આકૃતિનુ' એટલે તેમાં રહેલ પદાર્થાંનુ ચિંતન કરવું અને પરવસ્તુથી આત્મદ્રવ્યને વ્યાવૃત્ત કરી, તેમાં નિમગ્ન થયું તે, સસ્થાન વિચયધર્મ ધ્યાન કહેવાય છે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy