SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ યેગશાસ્ત્ર ભાષાંતર-દશમ પ્રકાશ કર્મો આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય. જેમ વસ્ત્રાદિકના પાટા વડે નેત્ર અવરાઈ શકે છે, તેમ સર્વજ્ઞ સદશ જીવનું જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મરૂપ પાટાથી દબાઈ જાય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ, આ પાંચ જ્ઞાને જેનાથી અવરાય છે તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. ' પાંચ પ્રકારની નિદ્રા અને ચાર પ્રકારનાં દર્શને, જેનાથી અવરાય છે તે. દર્શનાવરણીય કર્મને વિપાક છે. " જેમ કેઈ માણસ રાજાને જોવાની ઈચ્છાવાળે હેય, પણ પ્રતિહારના કવાથી રાજાનાં દર્શન ન કરી શકે તેમ આ દર્શના વરણીય કર્મના ઉદયરૂપ પ્રતિહારના કવાથી, આત્મારૂપ રાજાના દર્શન ન કરી શકે. . મઘથી લેપાયેલી ખડ્રગની ધારાના આસ્વાદ તુલ્ય. સુખદુઃખના અનુભવવાળું વેદનીયકર્મ છે. મદિરાના પાન સરખું મેહનીય કર્મ છે. જેમ મદિરા પીવાથી, મનુષ્યને કર્તવ્યાકર્તવ્યનું ભાન રહેતું નથી, તેમ મેહનીયમના ઉદયથી સત્યાસત્યને નિર્ણય થતું નથી, અને ચારિત્રહના ઉદયથી વિરતિના કર્તવ્યમાં આદર થતું નથી. . દેવ, માનવ, તિર્યંચ અને નારક એમ ચાર પ્રકારનું આયુષ્ય છે. પિતાપિતાના જન્મમાં (નિમાં) છાને રાખવા માટે આયુષ્ય એક બેડી તુલ્ય છે. ગતિ જાત્યાદિની વિચિત્રતા કરનાર, ચિતાર સમાન, નામકર્મને વિપાક આ શરીરમાં જેને હોય છે. ઘતન અને મદિરાના ભાંડેને બનાવનાર કુંભારની માફક, ઉચ્ચનીચ ગોત્રકર્મના વિપાકે, ઉચ્ચ, નીચ ગોત્રમાં જન્મવું પડે છે. તે ગેત્રમને વિપાક કહેવાય છે. જે બાધકતાથી દાનાદિ લબ્ધિઓને લાભ જીવને મળતું નથી તે અંતરાયકર્મ ભંડારી સમાન છે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy