SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ યેગશાસ્ત્ર ભાષાંતર-સપ્તમ પ્રકાશ (સેળ પાંખડીવાળા કમળના ઉપર જાણે અધર ઝુલતું હોય તેમ નીચું મુખ તે કમળનું રાખવું) પછી રેફ બિંદુ અને કળા યુક્ત મહામંત્રમાં જે (ઈં) અક્ષર છે તેને રેફમાંથી હળવે હળવે નિકળતી ધૂમાડાની શિખા ચિતવવી. પછી તેમાંથી અગ્નિના કણિઆઓ. નિકળતા ચિતવવા અને પછી અનેક જવાળાઓ નીકળતી ચિતવવી. તે જવાળાઓના સમૂહથી હૃદયની અંદર રહેલું (આઠ કર્મોથી બનેલું આઠ પાંખડીવાળું) કમળ બાળવું અને તે મહામંત્ર (કર્દી)ના ધ્યાનથી ઉત્પન્ન થયેલો પ્રબળ અગ્નિ અવશ્ય તે કર્મવાળા કમળને બાળી નાખે છે એમ ચિંતવવું. પછી શરીરની બહાર ત્રણ ખુણાવાળે બળતે અગ્નિને જ (પુર-કે-કુંડ) સાથિઆવડે કરી ચિહિત અને વહિં બીજ (3) રકાર સહિત ચિંતવ. પછી શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થએલી અગ્નિની જવાળા અને બહારના વહિપુરની જવાળા, એ બેઉ વડે કરી દેહ અને આઠ કર્મનું બનેલું કમળ તે બેઉને બાળીને તત્કાળ ભસ્મસાત્ કરી (રાખ કરી) શાંત ચવું તેને આગ્નેયી ધારણા કહે છે. ૧૩ થી ૧૮. વાયવી ધારણ. ततत्रिभुवनाभोग, पूरयन्तं समीरणम् । चलयन्तं गिरीनब्धीन् , क्षोभयन्तं विचिन्तयेत् ॥ १९ ॥ तच्च भस्मरजस्तेन, शीघ्रमुख़्य वायुना । દરમ્યાન શનિ તમારવેલિતિ માહિતી | ૨૦ || પછી ત્રણ ભુવનના વિસ્તારને પૂરી દેતા, પર્વતેને ચલાયમાન કરતા અને સમુદ્રને ક્ષેભ પમાડતા, પ્રચંડ વાયુને ચિંતવ, અને પૂર્વે શરીર તથા કમળને બાળીને, જે રાખ કરવામાં આવી છે તેને આ વાયુવડે ઉડાડી નાખી દઢ અભ્યાસે (પ્રબળ ધારણએ) કરી તે પવનને પાછો શાંત કરે. એ મારૂતી નામની ત્રીજી ઘારણ જાણવી. ૧૯, ૨૦,
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy